Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

થાનમાં 'તું અહિથી કેમ નીકળ્યો?'કહી દિલીપને લલીત,દાના,અનિલ, મહેન્દ્રએ પાઇપથી ફટકાર્યો

રાજકોટ તા. ૨૦: થાનગઢમાં નવાવાસમાં રહેતાં અને કારખાનામાં મજૂરી કરતાં દિલીપ છનાભાઇ પરમાર (ઉ.૩૪) નામના વણકર યુવાનને સાંજે સાડા છએક વાગ્યે થાન જીઆઇડીસી વિસ્તારમાંથી નીકળ્યો ત્યારે લલીત ચાવડા (વણકર), દાના ચાવડા અને અનિલ ચાવડા તથા મહેન્દ્રએ લોખંડના પાઇપથી માર મારી ઇજા કરતાં થાન સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે થાન પોલીસને જાણ કરી હતી. દિલીપના કહેવા મુજબ તે જીઆઇડીસીમાં કામ હોઇ ત્યાં જતાં લલીતા સહિતનાએ 'તું કેમ અહિથી નીકળ્યો?' કહી ગાળો ભાંડતાં ગાળો દેવાની ના પાડતાં ચારેયએ હુમલો કર્યો હતો. (૧૪.૫)

(11:43 am IST)