Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

કમિશનર બંછાનીધિ પાની હવે રાજકોટમાં થોડા દિ' જ ?

બદલીના ઘાણવામાં સમાવેશ થઇ જવાની સંભાવના

રાજકોટ તા. ર૦:.. મ્યુનિસીપલ કમિશનર બંછાનીધિ પાનની ટુંક સમયમાં જ બદલી થઇ રહ્યાની અફવા આધારિત ચર્ચાએ કોર્પોરેશનમાં ગરમાવો લાવી દીધો છે. ૩૧ માર્ચે બજેટ સત્ર પછી બદલીના ઘાણવો આવી રહ્યો છે તેમાં બંછાનીધિ પાનીના સમાવેશથી પ્રબળ શકયતા છે. તેઓ ખુદ પણ બદલી માટે ઇચ્છુક હોવાનું કહેવાય છે. તેઓ રાજકોટમાં છેલ્લા દોઢ વરસથી ફરજ બજાવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ચુંટાયેલી પાંખ સાથેના તેમના સબંધો ચર્ચાની એરણે રહ્યા છે. (પ-ર૩)

(3:56 pm IST)