Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

૧૬ વર્ષની બાળાએ પોતાના જન્‍મદિનની વધેલી કેક ખાધા બાદ દમ તોડી દીધો!

માણાવદરના ચુડવા ગામની ઘટનાઃ ઝાલા પરિવારમાં અરેરાટી : તબિયત બગડતાં સારવાર માટે રાજકોટ ખસેડાઇ પણ જીવ ન બચ્‍યો

રાજકોટ તા. ૧૯: માણાવદરના ચુડવા ગામે ગઇકાલે સવારે પોતાના જ જન્‍મદિવસની વધેલી કેક ખાધા બાદ તબિયત બગડતાં ૧૬ વર્ષની બાળાનું મોત નિપજતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

જાણવા મળ્‍યા મુજબ ચુડવા ગામે નિશાબા મહિપાલસિંહ ઝાલા (ઉ.વ.૧૬)એ શનિવારે પોતાનો જન્‍મદિવસ કેક કાપીને ઉજવ્‍યો હોઇ ગઇકાલે રવિવારે સવારે વધેલી કેક ખાધી હતી. એ પછી અચાનક તેની તબિયત લથડતાં ખાનગી હોસ્‍પિટલમાં સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટ  ખસેડવામાં આવી હતી. પરંતુ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્‍પિટલ મારફત જાણ થતાં તાલુકા પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. ક્રિપાલસિંહ ઝાલાએ પ્રાથમિક નોંધ કરી કાગળો માણાવદર પોલીસને મોકલ્‍યા હતાં. મોત કયા કારણોસર થયું? તેની તપાસ પોલીસે યથાવત રાખી છે. જન્‍મદિવસના બીજા જ દિવસે દિકરીના મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:01 am IST)