Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

મહાવીર જૈન મેરેજ બ્યુરોની યશસ્વી કામગીરીના ૨૫ પૂર્ણ : શુભેચ્છા સમારોહ

રાજકોટ : મહાવીર જૈન મેરેજ બ્યુરોની યશસ્વી કામગીરીના ૨૫ વર્ષ પૂર્ણ થતા મહાવીર સેવા ટ્રસ્ટના ચેરમેન અને જૈન શ્રેઠી ચંદ્રકાન્તભાઇ શેઠના પ્રમુખસ્થાને મહાવીર જૈન મેરેજ બ્યુરોને શુભેચ્છા પાઠવવાનો એક ગરીમાપૂર્ણ કાર્યક્રમ શેઠ ઉપાશ્રય ખાતે યોજાયો હતો. જૈન શ્રેષ્ઠીઓ એડીશ્નલ કલેકટર હર્ષદભાઇ વોરા, પૂર્વ ડે. મેયર દર્શીતાબેન શાહ, રાજકોટ નાગરિક સહકારી બેન્કના ડીરેકટર કલ્પકભાઇ મણીયાર, સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્ષચેન્જના ડીરેકટર સુનિલભાઇ શાહ, શ્રીજી ગૌશાળાના ટ્રસ્ટી રમેશભાઇ ઠકકર વગેરે ઉપસ્થિત રહેલ. સ્વાગત પ્રવચન સંસ્થાના ઉપપ્રમુખ નયનભાઇ સી. શાહે કરેલ. મહેમાનોના પ્રાસંગીક પ્રવચન બાદ સર્વે જૈન શ્રેષ્ઠીઓએ સંસ્થાના સ્થાપક પ્રમુખ મુકેશભાઇ એસ. મહેતા તથા ઉપપ્રમુખ નયનભાઇ સી. શાહની યશસ્વી કામગીરીમના ૨૫ વર્ષ પૂર્ણ થવા બદલ શુભેચ્છા પાઠવવામાં આવી હતી. શુભેચ્છા સમારોહમાં ઉપસ્થિત સર્વે મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત સંસ્થાના પ્રમુખ મુકેશભાઇ મહેતા, ઉપપ્રમુખ નયનભાઇ શાહ, કારોબારી સભ્યો વિજયભાઇ દોશી,  હિતેશભાઇ શાહ, જીવણભાઇ કાંબલીયા, સ્નેહા કોઠારી, વિધિ કામાણી, ચાર્મી મકાતી, અમી દોશી, પુજા પીપળીયા, જયુસી ઝાટકીયાએ કરેલ. સમગ્ર સંચાલન અને આભારવિધિ અનિલ ઝાટકીયાએ કરેલ. (૧૬.૫)

(4:01 pm IST)