Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

વાલ્મીકી સમાજ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલીઃ સફાઇ કામદારો દ્વારા એક દિ'નું વેતન અર્પણ

રાજકોટઃ દેશના વિર શહિદ જવાનોને રાજકોટ શહેરના તેમજ વાલ્મીકી સમાજના સફાઇ કામદારો દ્વારા તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધીઓ દ્વારા મહર્ષિવાલ્મીકી ઋષિ મહારાજની પ્રતિમા પાસે શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં શંકર વાઘેલા, અજયભાઇ વાઘેલા, મનસુખભાઇ ઝાલા, ગૌત્તમ ચૌહાણ/રામ ડી.લઢેર/ પ્રકાશ કે. વાઘેલા તથા કરશનભાઇ વાઘેલા, મુકેશભાઇ પરમાર, સંજયભાઇ નારોલા, હીરાભાઇ ઘાવરી, ચંદુભાઇ ગોવાભાઇ વાઘેલા, કાળુભાઇ રામજીભાઇ વાઘેલા, ભુવાનભાઇ બી.શીંગાળા, તુલશીભાઇ બી.વાળોદર, ગીરધરભાઇ વાઘેલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શહીદ થયેલ જવાનોના પરિવારજનોને સફાઇ કામદાર એસોસીએશન દ્વારા તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધીઓ દ્વારા તેમજ વાલ્મીકી સમાજના આગેવાનો દ્વારા કમિશનરને રૂબરુ મુલાકાત લઇને મુખ્યમંત્રીના રાહત ફંડમાં સફાઇ કર્મચારીઓના ૧ દિવસનું વેતન આપવા માટે લેખિત  રજુઆત કરવામાં આવી હોવાનું કેન્દ્રીય મંત્રી શંકર વાઘેલાની યાદીમાં જણાવાયું છે.

(4:31 pm IST)