Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ગોવિંદ આશ્રમધામ વિઠ્ઠલવાવ ગૌશાળા દ્વારા શહીદ જવાનોને અંજલી

રાજકોટઃ ત્રાસવાદીઓએ કરેલ બોમ્બ બ્લાસ્ટમાં ૪૪ જવાનો શહિદ થતા તેના આત્માને પરમાત્મા શાંતિ આપે તે માટે ગોવિંદ આશ્રમ ધામ-વિઠ્ઠલવાવ ગૌશાળા ચેરી. ટ્રસ્ટના નેજા હેઠળ નવા થોરાળા વિસ્તારની મહિલાઓએ કેન્ડલ પ્રગટાવી અને આગેવાનોએ શોકસભા યોજી શહિદોને શ્રધ્ધાંજલી આપી હતી. દેશભકિતના ગીત વગાડયા હતા. ટ્રસ્ટી મંડળ તથા લતાવાસીઓ વૈશાલીબેન પ્રજાપતિ, રૂપલબેન ખોયાણી, મેઘનાબેન આંબલીયા, અંજલીબેન ખોયાણી, કાજલ ગોંડલીયા, રશ્મિબેન આંબલીયા, વૈશાલીબેન ટીંબડીયા, ભાનુબેન લીંબાસીયા, મુકતાબેન ટીંબડીયા, મનીષાબેન આંબલીયા, પાર્વતીબેન લીંબાસીયા તથા સમસ્ત માલધારી સમાજની મહિલાઓ અને નવા થોરાળા રામજી મંદિર મહિલા મંડળ, રામાપીર મંદિર મહિલા મંડળ, મહિલાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:53 pm IST)