Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

શાપર વેરાવળમાંથી વાણંદ સગીર ગુમ

શાપર પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણનો ગુનો નોંધી તપાસ આદરી

રાજકોટ તા ૧૯ : શાપર વેરાવળમાં રહેતો વાણંદ સગીર ઘરેથી નિકળ્યા બાદ પરત  ન આવતા પોલીસે  અપહરણની ફરીયાદ દાખલ કરી તપાસ આદરી છે.

મળતી વિગત મુજબ શાપર વેરાવળ શીતળા મંદિર પાસે શીવ કાંટાવાળી શેરી પારડીમાં રહેતો નરેશ વિઠ્ઠલભાઇ સરવૈયા (ઉ.વ.૧૭) ગત તા. ૧૫ ના રોજ  સ્કુલ બેગ લઇને ઘરેથી રાજકોટ સ્કુલે જવા માટ ેનિકળ્યો હતો. બાદ તે પરત ન આવતા તેના પરિવારજનોઅ ે તેની શોધખોળ આદરી હતી. પરંતુ તેનો કોઇ પતો ન લાગતા તેની માતા હેતલબેન સરવૈયાએ જાણ કરતા શાપર વેરાવળ પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ  અપહરણનો ગુનો દાખલ કરી ગોંડલ  સીટી  પી.આઇ.  કે.પી.ગોહેલે તપાસ હાથ ધરી છે.

(3:48 pm IST)