Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ત્રંબાના પૂર્વ સરપંચ અને રાજકોટ ડેરીના ડિરેકટર લાલજીભાઇ નશીતનું મૃત્યુ

સવારે પુત્રએ ચા-પાણી પીવા ઉઠાડ્યા ત્યારે ઉઠ્યા જ નહિ

રાજકોટ તા. ૧૮: ત્રંબા ગામના પૂર્વ સરપંચ અને રાજકોટ ડેરીના ડિરેકટર લાલજીભાઇ હરજીભાઇ નશીત (ઉ.વ.૭૪) (લેઉવા પટેલ)નું સવારે બેભાન હાલતમાં મોત નિપજતાં સ્વજનોમાં અને ગામમાં ગમગીની છવાઇ ગઇ હતી.

લાલજીભાઇને સવારે પાંચ વાગ્યે નિત્યક્રમ મુજબ પુત્ર પંકજભાઇ જગાડવા ગયા હતાં. પરંંતુ તેઓ ન જાગતાં બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ તબિબે તેમને નિષ્પ્રાણ જાહેર કર્યા હતાં. લાલજીભાઇ ચાર ભાઇમાં નાના હતાં. સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. તેઓ ગામમાં ખુબ સારી નામના ધરાવતાં હતાં. અગાઉ સતત ત્રણ ટર્મ સુધી બિનહરીફ સરપંચ પદે રહી ચુકયા હતાં અને હાલમાં રાજકોટ ડેરીના ડિરેકટર પણ હતાં. ગામના મોભી સમાન લાલજીભાઇ નશીતના અચાનક પરલોકગમથી સ્વજનો અને ગ્રામજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. આજીડેમ પોલીસ મથકના એએસઆઇ પંકજભાઇ દિક્ષીત અને વિપુલભાઇ રબારીએ જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૫)

(11:34 am IST)