Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના પૂર્વ ઉપપ્રમુખ નાથાભાઇ સીસોદીયાનું ૯૯ વર્ષની વયે દુઃખદ નિધન

નિરજંન શાહ-જયદેવ શાહ-હિમાંશુ શાહ સહિતના સભ્યોએ શ્રધ્ધાંજલી અર્પી

રાજકોટઃ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના પૂર્વ ઉપપ્રમુખ શ્રી નાથાભાઇ સીસોદીયાનું ૯૯ વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. તેઓએ પાંચ વર્ષ સુધી એસ.સી.એ.ના વાઇસ પ્રેસીડેન્ટ અને તેઓ ૧૯૭૧ થી આ સંસ્થાને એક સક્રિય સભ્ય તરીકે સતત માર્ગદર્શન આપ્યું હતુ. સદ્ગત નાથાભાઇ સીસોદીયાને  સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન અને બીસીસીઆઇના પૂર્વ સેક્રેટરી શ્રી નિરંજનભાઇ શાહે શ્રધ્ધાંજલી અર્પતા કહયું હતુ કે તેઓ એક નેકદિલ ઇન્સાન હતા. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનમાં તેઓનું અમુલ્ય યોગદાન હતુ. ખાસ કરીને સૌરાષ્ટ્ર ક્રિકેટને આગળ લઇ જવા તેઓએ સિંહફાળો આપેલ. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ શ્રી જયદેવ શાહ, સેક્રેટરી શ્રી હિમાંશુ શાહ તેમજ સભ્યો પિન્ટુ દોશી, અભિષેક તલાટીયા સહિતનાએ સદ્ગતને શ્રધ્ધાંજલી અર્પી હતી.

(4:09 pm IST)