Gujarati News

Gujarati News

News of Thursday, 18th June 2020

કાળીપાટના બહુચર્ચિત 'ડબલ મર્ડર' કેસના આરોપીની હાઇકોર્ટમાં જામીન અરજી નામંજુર

રાજકોટ,તા.૧૮: રાજકોટ તાલુકાના કાળીપાટ ગામે નવ વર્ષ પૂર્વ ચકચારી ડબલ મર્ડર કેસના એક આરોપીની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે.

વધુ વિગત મુજબ શહેરની ભાગોળે કાળીપાટ ગામે ગત તા.૧૦-૭-૧૧ના રોજ માતાજીના મઢ પાસે તાવા પ્રસાદમાં એકઠા થયેલા દરબારોએ કોળી પરિવારના કિશોરને ગાળો બોલવાનીના પાડવાના મુદ્દે ખેલાયેલા ધિંગાણામાં વિશ્વજીતસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ જાડેજાનું મોત નિપજતા બનાવ ડબલ મર્ડરમાં પલટાયો હતો.

તાલુકા પોલીસ મથકમાં સત્યજીતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજાએ છગન રધા દુધરેજીયા, ધીરૂ રધા દુધરેજીયા, સુરેશ રધા દુધરેજીયા, દિનેશ રધા દુધરેજીયા, જેન્તી પ્રેમજી દુધરેજીયા, સવજી દેવશી દુધરેજીયા, બાબુ ઉકા દુધરેજીયા અને બે મહિલા સહિત ૧૦ શખસો સામે હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યા હતા. દરમિયાન હાલ લાંબા સમયથી જેલ હવાલે રહેલાઙ્ગ આરોપીઓ પૈકી દિનેશ દેવશી દુધરેજીયાએ હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં બંન્ને પક્ષોની લેખિત મૌખિક દલીલો બાદ મુળ ફરિયાદીના વકિલનીઙ્ગ ધારદાર દલીલ તેમજ કેસની સુનાવણી અંતિમ તબકકામાં છે જો જામીન આપવામાં આવશે તો સાક્ષીને ફોડવાના અને પુરાવાનો નાશ કરવામાં આવશે. તેવી દલીલ ધ્યાને લઇ દિનેશ દેવશી દુધરેજીયાની જામીન અરજી નામંજૂર કરી છે.

આ કામમાં હાઈકોર્ટમાં સરકારી વકીલ હાર્દિક સોની,મુળ ફરિયાદી વતી એડવોકેટ તરીકે રૂપરાજસિંહ પરમાર, અજીતભાઇ પરમાર અને ભરતભાઇ સોમાણી રોકાયા છે.

(3:08 pm IST)