Gujarati News

Gujarati News

News of Thursday, 18th June 2020

રાજકોટના લાખાણી લેબોરેટરીવાળા બિભાષભાઇ લાખાણી વડોદરા ખાતે અરિહંત શરણ પામ્યા

રાજકોટઃ શહેરમાં બ્લડ ટેસ્ટીંગ માટે લેબોરેટરીના પ્રારંભ કાળથી ''લાખાણી લેબોરેટરી'' દ્વારા અપાર ચાહના મેળવનાર, મિતભાષી શ્રી બિભાષભાઇ નગીનદાસ લાખાણીનું ૧૬ મે ૨૦૨૦ના રોજ વડોદરા ખાતે દુઃખદ અવસાન થયું  છે. તેમના અવસાનથી ઘેરા શોકની લાગણી પ્રસરી છે. તેેમના ધર્મપત્નિ દક્ષાબેન બિભાષભાઇ લાખાણી, પુત્રો વિક્રમભાઇ બિભાષભાઇ લાખાણી (નેહલ ટુલ્સ-અમદાવાદ મો.૯૨૨૭૭ ૭૭૫૩૫) અને સિધ્ધાર્થભાઇ બિભાષભાઇ લાખાણી (સી.એ., જીએસ પીસી-એલએનજી લી. મો.૯૨૨૭૭ ૨૯૬૦૩) એ જણાવ્યુ છે કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બેસણું લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. રાજકોટ ખાતેના તેમના પરમ મિત્રો ડો. હર્ષદભાઇ ખખ્ખર (પુર્વ પ્રમુખ શ્રી લોહાણા મહાજન, રાજકોટ), શ્રી શરદ પીઠડીયાએ ઉંડો શોક દર્શાવી શ્રધ્ધાંજલી અર્પી છે. અકિલા પરિવારે ૨ મીનીટ મૌન પાડી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

(11:47 am IST)