Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

કાલાવડ રોડ- યુનિ.રોડ ડોકટર્સ એસો.ના હોદ્દેદારોની વરણીઃ પ્રમુખપદે ડો.મનિષ ગોસાઈ- સેક્રેટરીપદે ડો.પ્રશાંત ગણાત્રા

રાજકોટઃ તાજેતરમાં કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ ડોકટર્સ એસોસીએશનનાં વર્ષ ૨૦૧૯- ૨૦ના હોદેદારોની વરણી કરવામાં આવી જેમાં પ્રમુખ ડો.મનીષ ગોસાઈ અને સેક્રેટરી પદે ડો.પ્રશાંત ગણાત્રાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ તકે એસોસીએશનનાં અગ્રણીઓએ મોમેન્ટો અને પુષ્પગુચ્છ અર્પણ કરી પ્રેસિડન્ટ અને સેક્રેટરીને સન્માનિત કર્યા હતા.

અન્ય હોદેદારોમાં ચેરમેન ડો.મનસુખ વેકરીયા, કન્વીનર ડો.સંજય દેસાઈ, ચીફ એડવાઈઝર ડો.અમિત હપાણી, વાઈસ ચેરમેન ડો.વિશાલ ભીમજીયાણી, વાઈસ પ્રેસિડન્ટ ડો.રિધ્ધીશ તન્ના અને ડો.કેતન ત્રાંબડીયા, જોઈન્ટ સેક્રેટરી ડો.નિખિલ સરવૈયા અને ડો. વિક્રમ દોશી, ટ્રેઝરર ડો.વિજય ઝાલાવડીયા તથા પ્રોજેકટ ચેરમેન ડો.હિમાંશુ પરમાર અને ડો.ચેતન ભાલોડી નિયુકત કરવામાં આવ્યા હતા.

કમીટી મેમ્બર્સમાં ડો.જયંત રૂઘાણી, ડો.પ્રણવ ઉનડકટ, ડો.નિરવ માનસેતા, ડો.નિલેશ રૂઘાણી, ડો.તેજસ ત્રિવેદી, ડો.હાર્દિક પટેલ, ડો.ચિરાગ મગદાણી, ડો.પ્રશાંત ઠાકર, ડો.દિપક પારેખ, ડો.જે.એમ. વ્યાસ, ડો.જય માકડીયા, ડો.મૃણાલ આશર, ડો.નિરવ કોટક, ડો.કેયુર ઉકાણી, ડો.રવિ કનેરીયા અને ડો.જયદીપસિંહ જાડેજા તેમજ એડવાઈઝરી કમીટીમાં ડો.ચેતન લાલસેતા, ડો.તેજસ કરમટા, ડો.મયંક ઠકકર, ડો.પિયુષ ઉનડકટ, ડો.પ્રિતેષ પંડ્યા, ડો.પ્રકાશ પરમાર અને ડો.કાર્તિક સુતરીયાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તકે આઈ.એમ.એ. રાજકોટના પ્રમુખ ડો.ચેતન લાલસેતા તથા ફેડરેશનમાં ચેરમેન ડો.કિશોર દેવડીયા ઉપરાંત ફાઉન્ડર મેમ્બર્સ ડો.જયેશ રાજયગુરૂ, ડો.ભરત વેકરીયા અને ડો.મનોજ ઠેસીયાએ સર્વે હોદેદારોને અભિનંદન પાઠવ્યા હતા.

(3:29 pm IST)