Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

અક્ષરનગરના મનોકામના સિદ્ધ હનુમાનજી મંદિરે કાલે દાદાનો જન્મોત્સવ

રાજકોટઃ અહિંના ગાંધીગ્રામ ખાતે અક્ષરનગર-૨માં આવેલ મનોકામના સિધ્ધ હનુમાનજી મંદિરે કાલે હનુમાન જયંતિની ધામેધૂમે ઉજવણી કરાશે સવારે ૭ વાગ્યે આરતી બાદ બપોરે સરબત વિતરણ, સાંજે ૫:૩૦ કલાકે બટુકભોજન તેમજ સાંજે ૭:૩૦ મહાઆરતી બાદ દાંડીયારાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. શેરીમાં ધજા પતાકા અને દાદાના મંદિરને ગુલાબની પાંદડીઓથી અનેરી સજાવટ કરવામાં આવી છે. કાલે શુભ અવસરે નવી ધજા ચડાવવામાં આવશે. આખો દિવસ હનુમાન ચાલીસા અને ભકિત સંગીતનો ગુજાંરવથી માહોલ ધર્મમય બનાવી દેવાશે. અંજનીના જાયાના જન્મોત્સવના વહાલથી વધામણા કરવા આખુ અક્ષરનગર ભાવમય બન્યુ છે.

(3:33 pm IST)