Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

સોમવારે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે પૂનમ નિમિતે ધ્યાનોત્સવ - સંતવાણી

બકુલભાઈ ટીલાવત દ્વારા સંતવાણી કાર્યક્રમનું આયોજન

રાજકોટ : ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતુ વિશ્વનું એકમાત્ર ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર પર નિયમીત છેલ્લા ૩૬ વર્ષથી અવાર - નવાર ધ્યાનોત્સવ તથા શિબિરોનું આયોજન કરવામાં આવે છે. જેનું સંચાલન સ્વામી સત્ય પ્રકાશ કરી રહ્યા છે.

આગામી તા. ૨૦ના સોમવારના રોજ પૂનમ નિમિતે હર પૂનમની માફક ધ્યાનોત્સવના કાર્યક્રમનું આયોજન સાંજે ૬:૪૫ થી ૭:૪૫ દરમિયાન કરવામાં આવેલ છે. જેમાં પૂનમ કિર્તન ધ્યાન તથા સાંધ્ય ધ્યાન કરાવવામાં આવશે તથા રાત્રે ૮:૩૦ થી ૧૦:૩૦ દરમિયાન બકુલભાઈ ટીલાવત દ્વારા સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિવિધ કલાકારો દ્વારા સંત - મહંતોની રચના રજૂ કરી શ્રોતાઓને ભકિતમાં લીન કરશે.

ઉપરોકત કાર્યક્રમમાં સહભાગી થવા ઓશો સન્યાસી તથા પ્રેમીઓને ઓશો ઈનર સર્કલ દ્વારા નિમંત્રણ અપાયુ છે.

સ્થળ : ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર - ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજની બાજુમાં, ૪ વૈદ્યવાડી ડીમાર્ટની પાછળની શેરી - રાજકોટ.

વિશેષ માહિતી : સ્વામી સત્યપ્રકાશ ૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડ - ૯૮૨૪૮ ૮૬૦૭૦ (વોટ્સએપ).

(3:05 pm IST)