Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

૨૦ મીએ ડાક અદાલત પ્રશ્નો મોકલી આપવા અપીલ

રાજકોટ તા ૧૭ : ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે તા. ૨૦ ના રોજ પ્રવર ડાક અધિક્ષક ડાકઘરની કચેરી , હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ, બીજામાળે, રાજકોટ ખાતે સવારે ૧૧.૦૦ કલાકે યોજવામાં આવશે. આ અદાલતમાં નીતી વિષયક મુદા સિવાયની ટપાલ સેવાઓ નેલગતી અન્ય મુદાઓ સબંધિત ફરીયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે. ડાક અદાલતમાં નિરાકરણ માટેના પ્રશ્નો તા. ૧૯ સુધીમાં ડેપ્યુટી મેનેજર, ગ્રાહક સેવા કેન્દ્ર, પોસ્ટલ વિભાગ, રાજકોટ ને મોકલસ આપવા અપીલ કરાઇ છે. (૩.૬)

(1:00 pm IST)