Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

તહેવાર સમયે ગૃહિણીના બજેટ ખોરવાયા

સીંગતેલના ભાવમાં કમ્મરતોડ ભાવવધારો : ૨૦ રૂ. વધ્યા

રાજકોટ, તા. ૧૭ : આ વખતે તહેવારોમાં ફરસાણ અને મીઠાઇ વિચારી વિચારીને બનાવવી પડશે. તહેવાર સમયે ફરી સિંગતેલના ભાવમાં રૂપિયા ૨૦નો કમરતોડ ભાવવધારો કરવામાં આવ્યો છે.

હાલ સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા ૧૮૫૦ કરવામાં આવ્યો છે, જયારે લૂઝ સિંગતેલનો ભાવ રૂપિયા ૧૧૨૫ કરવામાં આવ્યો છે. એવું જાણવા મળી રહ્યું છે કે, બજારમાં આંશિક તેજીના કારણે તેલના ભાવ વધ્યા છે.

તહેવાર નજીક હોવા છતા જોઈએ તેવી ખરીદી નિકળી નથી. સિંગતેલમાં શુક્રવારે ભાવવધારો નોંધાયો હતો. ભાવ વધ્યા બાદ સીંગતેલ નવા ટીનનો ભાવ રૂ. ૧૮૪૦થી ૧૮૫૦ રહ્યો હતો. જયારે ૧૫ કિલો લેબલ ટીનનો ભાવ રૂ. ૧૮૦૦-૧૮૧૦ બોલાયો હતો. તહેવારો શરૂ થતાંની સાથે સિંગતેલનાં ભાવમાં ૨૦ રૂપિયાનો વધારો થયો છે. ૩ દિવસમાં સીંગતેલના ભાવમાં બીજી વાર વધારો થયો છે. ભાવવધવાને કારણે સીંગતેલનો ડબ્બાએ રૂ. ૧૮૦૦ની સપાટી કૂદાવીને હવે રૂ. ૧૮૪૦થી ૧૮૫૦ પહોંચી ગયો છે.

(1:22 pm IST)