Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

કિશાનપરા ચોક પાસે રેસ્ટોરન્ટમાં આગ લાગતા ૬૦ હજારનું નુકશાન

આગ શોર્ટ સર્કિટના કારણે લાગીઃ ટેબલ, છાપરૂ અને માંડવો બળી ગયા

રાજકોટ તા.૧૭ : કિશાનપરા ચોક પાસે વંડામાં આર્ય રેસ્ટોરન્ટમાં આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. જાણ થતા ફાયર બ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી.મળતી વિગત મુજબ કિશાનપરા ચોક પાસે વંડામાં આવેલા આર્ય રેસ્ટોરન્ટમાં સવારે આગ લાગતા રેણુકા આશીષભાઇ ગઢવીએ જાણ કરતા ફાયરબ્રિગેડ સ્ટાફ એક ફાયર ફાયટર સાથે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી. આગ રેસ્ટોરન્ટના રસોડામાં લાગી હતી. તેમાં ટેબલ, છાપરૂ, તથા માંડવો બળી ગયા હતા. આગ શોર્ટ સર્કિંટના કારણે અને તેમાં રૂ.૬૦ હજારનું નુકસાન થયુ હોવાનું રેસ્ટોરન્ટના સંચાલકે જણાવ્યુ છે.

(3:41 pm IST)