Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

મોનાલીબેને દીક્ષાગ્રહણ કરીઃ પૂ.ધીરજમુનિ મ.સા.ની નિશ્રામાં દીક્ષા મહોત્સવ

રાજકોટઃ મોનાલીબેને દિક્ષાગ્રહણ કરી છે. આજે પૂ.ધીરજમુનિ મ.સા.ની નિશ્રામાં આદીનાથનગરીમાં ભવ્ય દીક્ષા સમારોહ યોજાયો હતો. બૃહદ્ રાજકોટના આંગણે શ્રી ઈન્દ્રપ્રસ્થનગર અને વૈશાલીનગર સંઘના પ્રાંગણે દીક્ષાપ્રદાતા પૂ. શ્રી ધીરગુરૂદેવની નમનીય નિશ્રામાં આદિનાથનગરીમાં દીક્ષાર્થી મોનાલીબેને કુમકુમ પગલા પાડતા પ્રવેશ કર્યા બાદ પૂ.સુશાંતમુનિ મ.સા., પૂ.નમ્રમુનિ મ.સા. તેમજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મહાસતીજી વૃંદની નિશ્રામાં સંજય શાહે વિદાયમાન કાર્યક્રમની શાનદાર રજૂઆત કરેલ. પરિવારજનોએ માળારોપણ વિધિ કરેલ. પરમ કલ્યાણના બોલ વ્યાખ્યાન સંગ્રહની અર્પણ વિધિ દક્ષાબેન મુકેશભાઈ કામદાર અને રમેશભાઈ શાહ (ઓમાનવાલા) તથા જીવદયાનો ચડાવો લૈલારાનીએ લીધેલ. ગઈકાલે  સાંજીમાં હજારો કેશલુંચન કરનારાનું અને વીરડુંગર મહિલા મંડળના પ્રમુખ યોજ્ઞા મહેતાનું સન્માન કરેલ. આજે ધામધુમથી શોભાયાત્રા નિકળી હતી. જેમાં મોટી સંખ્યામાં જૈન આગેવાનો જોડાયા હતા. તસ્વીરમાં દીક્ષાગ્રહણ કરતા મોનાલીબેન નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:39 pm IST)