Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

'નવરંગ'દ્વારા ખાતર-માટી વિના મૂલ્યે

રવિવારે વિતરણઃ ઓર્ગેનિક શેરડી ૧૦ કિલોના ૧૦૦ રૂ. * ઓર્ગેનિક ગોળ રૂ.પપનો કિલો * ગાયનું ઘી રૂ.૮૦૦નું કિલો * આદુ-મધનું સરબત વિના મૂલ્યે

રાજકોટ તા. ૧૭ :.. નવરંગ નેચરલ કલબ રાજકોટ દ્વારા માટીઅને ખાતર વિના મુલ્યે, જામફળના રોપા વિના મુલ્યે, ઓર્ગેનીક દેશીગોળ, લીલા નાળીયેર, બીજોરાનું સરબત, મધ રાહત દરે વિતરણ થશે.

દેશી ગાયનું ઘી ૧ કિલોના રૂ. ૮૦૦, દેશી મુખવાસ, વિવિધ જાતના લોખંડના વાસણો મળશે, પાપડ, ખાજલી, વિવિધ જાતના ફળો રાહત દરે મળશે. લીલા નાળિયેર કિંમત રૂ. ર૦, વિવિધ જાતના શાકભાજી ખેડૂતો સીધા વેચવા આવશે. પુઠાના ચકલી ઘર ચકલી ઘર રૂ. ૧૦, વિવિધ જાતના ફુલછોડનું રાહત દરે વિતરણ, પ્લાસ્ટીકના પોર્ટેબલ ચબુતરા કિ. રૂ. ૧૦, ઓર્ગેનીક મગ-૧ કિલોના રૂ. ૮૦, લીલા નાળીયેરનો હલવો પ૦૦ ગ્રામના રૂ. ૧૩૦, વિવિધ જાતના શાકભાજીના બીયારણ પેકેટ રૂ. પ, સરગવાના પાંદડાનો પાવડર-૧, પેકેટ રૂ.ર૦, રાહત દરે લીંબડા સાબુ બીજોરાનું સરબત રૂ. ૧૦, આદુ-૧ કિલોના રૂ. ૬૦, લીલી હળદર. જામફળીના રોપા પર્યાવરણની જાળવણી માટે જામફળીના રોપાનું વિના મુલ્યે વિતરણ કરી વૃક્ષો વધારવાની અને નવો દાનપુનનો ચીલો પાડવાનો પ્રયત્ન છે. કુલ ૩૦૦ રોપાનું વિતરણ વિનામુલ્યે કરવામાં આવશે.

ઓર્ગેનીક દાડમ કાલાવડ તાલુકાના ખેડુતોએ પોતાના ખેતરમાં ઓર્ગેનીક દાડમની ખેતી કરે છે તે ખેડૂત સીધુ વેચાણ કરવા અહીં આવે છે.

આદુ : આદુનું સેવન કરવાથી કફ અને પીતમાં ખુબ જ ફાયદો થાય છે પાચન ક્રિયા સુધરે છે. સ્થૂળતા, જાડાપણું અને મેદ ઘટાડે છે. હૃદયને ફાયદો કરે છે. ફેફસામાં કફના ઝાડા તોડે છે. વધુ પ્રમાણમાં પેશાબ લાગે છે. છાતીમાંથી શરદી કાઢે છે. આમવાત (એસીડીટી) સોજા મટાડે છે. લોકો વધુમાં વધુ  આદુનો વપરાશ  કરતા થાય એવા પ્રયત્નો સતત અમારા તરફથી કરવામાં આવે છે. આપ પણ આદુનો પ્રચાર કરી સેવા કરી શકાય.

ઓર્ગેનીક દેશીગોળ : ગીરની પ્રખ્યાત શેરડીનો દેશી બનાવટનો કોઇપણ જાતની દવા નાખ્યા વિનાનો ગોળ-૧ કિલોના રૂ. પપ લેખે પ્લાસ્ટીકની ડબ્બીમાં ૪ કિલો ગોળ રૂ. રર૦ માં વેચાણ છે.

અગરબતીઓ : ઘર બેઠા રોજગારીઓનું નિર્માણ થાય તેવા હેતુથી આ ગાય આધારીત અગરબતીઓ બનાવી તેનું વેચાણ કરવામાં આવે છે. આપ આ અગરબતીઓ લઇ આડકતરી રીતે રોજગારી નિર્માણના યજ્ઞમાં સહકાર આપશો.

દેશી અથાણા : હાથ બનાવટના કેમીકલ વગરના દેશી અથાણાઓ જેવા કે કૈડા, કેરી, ગુંદા વિગેરે મળશે.

દેશી ગાયનું ઘી : વિધવા બહેનો પગભર થાય તે માટે દેશી ગાયો રાખી તેનું ઘી અને છાશ બનાવી અહીં વ્યાજબી દરે વેચાણ માટે આવે છે. તો આપણે તેને પગભર કરવા માટે ગાયનું ઘી અને છાશનો ઉપયોગ કરી તેને મદદરૂપ થઇએ.

ફુલછોડ : કાશ્મીરી ગુલાબ અને ઇંગ્લીશ ગુલાબ (૧પ જાતનાં રંગવાળા) ફુલોના ગુલાબના રોપા તથા મોગરો, મયુરપંખ, રાતરાણી, કીસમસ ટ્રી, એકઝોરા, ક્રોટોન આમ વિવિધ જાતના રોપાઓ બજાર કિંમતથી અડધી કિંમતે મળશે.

એલોવેરા જેલ : એલોવેરા જયુસ સપ્તચૂર્ણ રાહતદરે મળશે. લીંબડા સાબુ તેમજ કોપરેલ સાબુ.

મધ (પ્રવાહી સોનું) : અહીં માત્ર રૂ. ર૪૦ ના કિલોના હિસાબે વેચાણ થવાનું છે. આ મધના સેવનથી વજન ઘટે છે, લીવર-કિડનીને ફાયદો કરે છે, ચરબી ઓછી કરે છે, કબજીયાત દુર થાય છે.

હાથલા થોરના ફળમાંથી બનાવેલ સરબતની બોલોટો રૂ. ર૦૦ ની મળે છે. અને અંદર કેમીકલ નાખેલું હોય છે. જયારે આ બોટલમાં કેમીકલ બીલકુલ નાખેલ નથી, પુરે પુરૂ કુદરતી છે અને રૂ. ૧૦૦ માં સરબતની બોટલનું વેચાણ થાય છે.

સ્થળ : સિસ્ટર નિવેદિતા, નિરંતર શિક્ષણ કેન્દ્ર (ખેલાધર), ૩ બાલમુકુન્દ પ્લોટસ ફાયર બ્રિગેડથી થોડે દુર, નિર્મળા કોન્વેન્ટ રોડ, રાજકોટ.

તા. ર૧-૧-ર૦૧૮ (દર રવિવાર રાજકોટ), સમય સવારે ૯ થી ૧-૩૦ તથા સ્થળ પ્રદર્શન મેદાનની સામે, સાત રસ્તા પાસે, જામનગર. તા. ર૧-૧-ર૦૧૮ રવિવાર, સમય સવારે ૯ થી ૩, દરમિયાન કાર્યક્રમ યોજાશે. વધારે વિગતો માટે વી. ડી. બાલા મો. ૯૪ર૭પ ૬૩૮૯૮ નો સંપર્ક થઇ શકે છે.

(4:27 pm IST)