Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

સદ્દગુરૂ સદ્દન ટ્રસ્‍ટ દ્વારા ૨૩ મીએ સંગીતમય શૈલીમાં અખંડ શ્રીરામચરિત માનસજીના પાઠ

રાજકોટ તા. ૧૬ : સદ્દગુરૂ સદ્દન ટ્રસ્‍ટ, શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમ દ્વારા તા. ૨૩ ના શુક્રવારે સંગીતમય શૈલીમાં અખંડ શ્રીરામ ચરિત માનસજીના પાઠ રાખેલ છે. ગુરૂદેવનું સુક્ષ્મપૂજન સવારે ૩.૩૦ વાગ્‍યે તથા અખંડ પાઠનો પ્રારંભ સવારે ૪ વાગ્‍યે કરવામાં આવશે. પુર્ણાહુતિ રાત્રે ૧૧.૩૦ વાગ્‍યે થશે. આ પાઠ ‘‘અબ પ્રભુ કૃપા કરો ઐહી ભાંતિ, સબ તજી ભજન કરૂ દિન - રાતી'' ના સંપૂટ સાથે કરવામાં આવશે. ધર્મપ્રેમી ભાઇ બહેનો, ગુરૂ ભાઇ બહેનોએ લાભ લેવા સદ્દગુરૂ સદ્દન ટ્રસ્‍ટ દ્વારા અનુરોધ કરાયો છે.

 

(4:26 pm IST)