-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
‘દુકાને ભાગ લેવા જાવ છું' કહી ૧૫ વર્ષની સગીરા ઘરેથી નીકળ્યા બાદ ગુમઃ અપહરણનો ગુનો
ચૂનારાવાડના અન્ય ઉર્ફે અજુ સામે એ-ડીવીઝન પોલીસમાં ફરીયાદ
રાજકોટ,તા.૧૬: શહેરના રામનાથ પરા વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની સગીરા દુકાને ભાગ લેવા જવાનું કહી ઘરેથી નિકળ્યા બાદ લાપતા થતા એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ રામનાથપરા વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની સગીરા બે દિવસ પહેલા પોતાના ઘરેથી ‘દુકાને ભાગ લેવા જાવ છું' કહી ઘરેથી નીકળી હતી. સગીરા ઘરે ન આવતા તેના માતા-પિતા સહિતના પરિવારજનોએ દુકાને તપાસ કરતા સગીરા દુકાને આવી ન હોવાનું જાણવા મળતા પરિવારજનોએ સગા સંબંધીને ત્યા તપાસ હાથ ધરી હતી તપાસ દરમ્યાન અગાઉ સગીરા ચુઁનારાવાડમાં રહેતી હતી. ત્યારે ચુનારાવાડમાં રહેતો અન્ય ઉર્ફે અજુ નામના શખ્સ સાથે ફોનમાં વાત કરતી મળી આવી હતી. તેથી પરિવાર જનોએ ચુનારાવાડમાં તપાસ કરતા અજય ઉર્ફે અજુ ઘરે હાજર ન હોઇ તેનો મોબાઇલ પણ સ્વીચ ઓફ આવતો હોઇ, તેથી અજય ઉર્ફે અજુ સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ગયો હોવાનુ જાણવા મળતા સગીરાની માતાએ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજય ઉર્ફે અજુ વિરૂધ્ધ અપહરણનો ગુનો દાખલ કરી પી.આઇ.સી.જી જોષી તથા રાઇટર વીરભદ્રસિંહ જાડેજા અને અશ્વીનભાઇએ તપાસ હાથ ધરી છે.