Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

‘દુકાને ભાગ લેવા જાવ છું' કહી ૧૫ વર્ષની સગીરા ઘરેથી નીકળ્‍યા બાદ ગુમઃ અપહરણનો ગુનો

ચૂનારાવાડના અન્‍ય ઉર્ફે અજુ સામે એ-ડીવીઝન પોલીસમાં ફરીયાદ

રાજકોટ,તા.૧૬: શહેરના રામનાથ પરા વિસ્‍તારમાં રહેતી ૧૫ વર્ષની સગીરા દુકાને ભાગ લેવા જવાનું કહી ઘરેથી નિકળ્‍યા બાદ લાપતા થતા એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રામનાથપરા વિસ્‍તારમાં રહેતી ૧૫ વર્ષની સગીરા બે દિવસ પહેલા પોતાના ઘરેથી ‘દુકાને ભાગ લેવા જાવ છું' કહી ઘરેથી નીકળી હતી. સગીરા ઘરે ન આવતા તેના માતા-પિતા સહિતના પરિવારજનોએ દુકાને તપાસ કરતા સગીરા દુકાને આવી ન હોવાનું જાણવા મળતા પરિવારજનોએ  સગા સંબંધીને ત્‍યા તપાસ હાથ ધરી હતી તપાસ દરમ્‍યાન અગાઉ સગીરા ચુઁનારાવાડમાં રહેતી હતી. ત્‍યારે ચુનારાવાડમાં રહેતો અન્‍ય ઉર્ફે અજુ નામના શખ્‍સ સાથે ફોનમાં વાત કરતી મળી આવી હતી. તેથી પરિવાર જનોએ ચુનારાવાડમાં તપાસ કરતા અજય ઉર્ફે અજુ ઘરે હાજર ન હોઇ તેનો મોબાઇલ પણ સ્‍વીચ ઓફ આવતો હોઇ, તેથી અજય ઉર્ફે અજુ સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ગયો હોવાનુ જાણવા મળતા સગીરાની માતાએ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજય ઉર્ફે અજુ વિરૂધ્‍ધ અપહરણનો   ગુનો દાખલ કરી પી.આઇ.સી.જી જોષી તથા રાઇટર વીરભદ્રસિંહ જાડેજા અને અશ્વીનભાઇએ તપાસ હાથ ધરી છે.

(3:32 pm IST)