Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

રવિવારે સતવારા સમાજનો પરિચય મેળો

સતવારા વિકાસ મંડળ-રાજકોટ દ્વારા સર્વપ્રથમ વખત આયોજનઃ ૨૯૦ યુવક-યુવતીઓ ભાગ લેશે

રાજકોટ : શ્રી સતવારા વિકાસ મંડળ રાજકોટ દ્વારા ગુજરાતભરમાં વસતા તમામ સતવારા જ્ઞાતિજનો માટે તા.૧૮ને રવિવારના રોજ એક પરિચય મેળો (યુવામેળા)નું આયોજન શ્રી અભય ભારદ્વાજ કોમ્‍યુનીટી હોલ, બીજા માળે અક્ષર સ્‍કુલની બાજુમાં રૈયારોડ ખાતે સવારના ૭ થી બપોરના ૪ સુધી કરવામાં આવનાર છે. સૌ પ્રથમ વખત આયોજીત આ યુવામેળામાં ૧૯૦ ભાઇઓ/બહેનો ભાગ લેનાર છે.
આ યુવા મેળામાં યુવક-યુવતિઓ માટે રજીસ્‍ટ્રેશન ફ્રી રૂા. ૧૨૫૦ રાખેલ છે. જેમાં વાલીઓ સાથે ભોજન પણ રાખેલ છે.
તસ્‍વીરમાં શ્રી સતવારા વિકાસ મંડળ રાજકોટના શ્રી ભગવાનજીભાઇ પરમાર પ્રમુખ,૯૨૭૬૦૮૭૦૦૪,
શ્રી દિલિપભાઇ નકુમ ઉપપ્રમુખ-૯૯૭૯૮૮૦૯૭૬,
 શ્રી રણછોડ એન. રાઠોડ- માનદ મંત્રી ૯૯૭૮૪૪૨૭૧૨,
શ્રી હિરાભાઇ કણજારીયા ખજાનચી-૯૮૨૪૪૭૭૦૮૫ અને સભ્‍યો શ્રી અશોકભાઇ પરમાર સભ્‍ય-૯૯૭૯૮૪૮૫૮૬,
અશોકભાઇ પરમાર, શાંતિલાલ પરમાર, મનજીભાઇ પરમાર અને કાનજીભાઇ ખાણદર નજરે પડે છે.  

 

(11:11 am IST)