Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન

રાજકોટ : નવી પેઢી ભાજપની વિચારધારા સાથે જોડાય તેવા આશય સાથે રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં તા.૧૫ થી ૨૧ ઓગષ્ટ સુધી સદસ્યતા વૃધ્ધિ અભિયાન આદરવામાં આવ્યુ છે. રાજયના ૨૮,૬૩૯ શકિત કેન્દ્ર ઉપર આ કાર્ય હાથ ધરાયુ છે. ત્યારે રાજકોટમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના માર્ગદર્શન હેઠળ કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે આ અભિયાનનો શુભારંભ કરાવાયો હતો. આ તકે મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા તેમજ નીતીનભાઇ ભુત, રઘુભાઇ ધોળકીયા, મહેશ રાઠોડ, જાગૃતીબેન ઘાડીયા, વિજયાબેન વાછાણી, ડી. બી. ખીમસુરીયા, અલ્કાબેન કામદાર, કાથડભાઇ ડાંગર, રમેશ ચાવડીયા, લીનાબેન શુકલ, અશ્વિન પાંભર, બાબુભાઇ સખીયા, અર્જુન પટેલ, જયોતીબેન લાખાણી, જસ્મીન મકવાણા, અમિત રાજયગુરૂ, અનિલ ગોગીયા, તેજશ જોષી, જયેન્દ્રસિંહ સરવૈયા, હર્ષિદાબેન પટેલ, રીટાબેન પટેલ, નીનાબેન વજીર, રાજુલબેન ચૌહાણ, શોભનાબેન સોલંકી, છગનભાઇ પટેલ, લલીતભાઇ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(5:00 pm IST)