Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

સુરશ્રી ગ્રુપ દ્વારા કાલે 'એક શામ આપકે નામ'

રાજકોટ તા. ૧૬ : સૂરશ્રી ગ્રુપ દ્વારા  કાલે તા. ૧૭ ના 'એક શામ આપકે નામ' શીર્ષક તળે કર્ણપ્રિય ગીતોનો કાર્યક્રમ આયોજીત કરાયો છે.

કાલે રાત્રે ૯.૧૫ વાગ્યે હેમુ ગઢવી નાટય ગૃહ ખાતે આયોજીત આ કાર્યક્રમમાં એચ. કે. લીયા, સુનિલ શાહ, જયેશ ભટ્ટ, જિતેન્દ્ર ભટ્ટ કેવલ રાઠોડ, પ્રવિણ મકવાણા, હીના કોટડીયા, નીતા ઉપાધ્યાય સ્વરકલાની પ્રસ્તુતી કરશે. સ્ટેજ સંચાલન તેજશ શીશાંગીયા કરશે.

ચુનંદાના ૨૫ થી વધુ ગીતોનો ગુલદસ્તો તૈયાર કરાયો છે. ઉગતા કલાકારોને સ્ટેજ મળી રહે તે માટે સુરશ્રી ગ્રુપ આવા કાર્યક્રમોનું આયોજન કરે છે. દર ત્રણ મહીને આવો એક કાર્યક્રમ યોજે છે. સાથો સાથ સમાજ ઉપયોગી પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે. આ કાર્યક્રમ થકી એક કોળી જ્ઞાતિની પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીને અભ્યાસ માટે દતક લેવામાં આવનાર છે.

તસ્વીરમાં કાર્યક્રમની વિગતો વર્ણવતા સુરશ્રી ગ્રુપના પ્રમુખ જયંતિભાઇ પટેલ  (મો.૯૮૨૪૨ ૯૨૩૦૩) તેમજ રમેશભાઇ બી. વેકરીયા (મો.૯૬૨૪૨ ૧૦૧૧૧) સહીતના આગેવાનો નજરે પડે છે.

(4:59 pm IST)