Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

ખૂનના ગુન્હામાં પેરોલ પર છુટી ભાગતા ફરતા મિતેન દુબલને પકડી લેવાયો

ચાર વર્ષ પહેલા સાંગણવા ચોકમાં મુસ્લીમ યુવાનની હત્યા કરી'તી

રાજકોટ : પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રીના માર્ગદર્શન હેઠળ વચવાળાના જામીન પરથી પેરોલ રજા પરથી તથા પોલીસ જાપ્તામાંતી ફરાર કેદી તેમજ નાસતા ફરતા આરોપીને શોધવા માટે સુચના આપતા પેરોલ  ફરલો સ્કવોર્ડના પીએસઆઇ બી.કે. ખાચર, હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ જાડેજા, બાદલભાઇ દવે, બકુલભાઇ વાઘેલા, મધુકાંતભાઇ સોલંકી હબીબભાઇ સમા, જયદેવસિંહ પરમાર, મયુરસિંહ ઝાલા, ધિરેનભાઇ ગઢવી, મહમહ અઝરૂદ્દીનભાઇ બુખારી, જયપાલસિંહ તથા જગદીશભાઇ સહિતે પેટ્રોલીંગમાં હતા ત્યારે મધુકાંતભાઇ અને જયદેવસિંહ તથા ધિરેનભાઇ નેમબેલી બાતમીના આધારે હાથીખાના મેઇન રોડ અલ્કાબા મસ્જીદની બાજુમાં રહેતો (હાલ મધ્યસ્થ જેલ)માં સજા ભોગવતા મીતેન અરવિંદભાઇ દુબલને પકડી લીધો હતો. મિતેન ઉર્ફે ગાભો દુબલે ચાર વર્ષ પહેલા સાંગણવા ચોકાં મુસ્લીમ યુવાનની હત્યા કરી હતી. આ પ્રકરણમાં તેને એ-ડીવીઝન પોલીસે ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં તેજેલમાં હોઇ, તે ગત તા. ૩૧-૭ થી તા. ૯-૮ સુધી પેરોલ રજા પર છુટયો હતો. પરંતુ તે હાજર ન થતા ફરાર થઇ ગયો હતો. ત્યારે ગઇકાલે પેરોલ ફરલો સ્કવોર્ડ તેને લાખાજીરાજ રોડ પરથી પકડી લીધો હતો.

(4:50 pm IST)