Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

રેલ્વે લોકો કોલોનીમાં બ્રાહ્મણ વૃધ્ધા કુંવરબેનનો ગળાફાંસો ખાઇ આપઘાત

રાજકોટ તા. ૧૬: જામનગર રોડ પર રેલ્વે લોકો કોલોની કવાર્ટર નં. સી-૨૬ બીમાં રહેતાં બ્રાહ્મણ વૃધ્ધા કુંવરબેન ગોકળભાઇ ગેરીયા (ઉ.૬૦)એ ઘરમાં પંખાના હુકમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

બનાવની જાણ થતાં ૧૦૮ પહોંચી હતી. તેના ઇએમટી નિલેષભાઇએ તપાસ કરતાં કુંવરબેન મૃત જણાતાં પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરતાં ઇન્ચાર્જ એએસઆઇ ઉપેન્દ્રસિંહ એ. ઝાલાએ ગાંધીગ્રામ પોલીસ મથકને કોલ આપ્યો હતો. તેના આધારે એએસઆઇ રવજીભાઇ એન. પટેલ સહિતે ત્યાં પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે આપઘાત કરનાર કુંવરબેનને સંતાનમાં એક પુત્ર છે. જુની બિમારીથી કંટાળીને તેમણે આ પગલું ભરી લીધું હતું.

(3:54 pm IST)