Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

મહાપાલિકા ગરિબ - મધ્યમ વર્ગ માટે ૫૦૦૦ ફલેટ બનાવશે : મેયર

ધર્મેન્દ્ર કોલેજ ખાતે યોજાયેલ શહેર કક્ષાના સ્વાતંત્ર્ય પર્વમાં બીનાબેન આચાર્યની જાહેરાત

રાજકોટ તા. ૧૬ : ગઇકાલે ૧૫મી ઓગસ્ટે દેશના ૭૨માં સ્વાતત્ર્ય દિનની મ્યુ.કોર્પોરેશન દ્વારા ભવ્ય ઉજવણી થઇ હતી. આ પ્રસંગે શહેરની મધ્યે આવેલ ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેરીજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવતા મેયર બીનાબેન આચાર્યએ મહાપાલિકા દ્વારા આગામી ટુંક સમયમાં નવા ૫૦૦૦ ફલેટની યોજના ગરીબ અને મધ્યમ વર્ગ માટે સાકાર કરનાર હોવાનું જાહેર કર્યું હતું.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૭માં ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડ, ડો. હોમી દસ્તુર માર્ગ, રાજકોટ ખાતે તા.૧૫ ઓગસ્ટ ૨૦૧૮ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે રાષ્ટ્ર ધ્વજ સલામી સમારોહમાં મેયર બિનાબેન આચાર્યએ ત્રિરંગો લહેરાવી, રાષ્ટ્રગીતના ગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. અને સુરક્ષા વિભાગના અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પરેડ યોજવામાં આવેલ હતી.

આ પ્રસંગે મેયર બીનાબેન આચાર્યએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવેલ કે, 'આજે દેશના ૭૨માં રાષ્ટ્રીય પર્વના શુભ અવસરે સૌ નગરજનોને ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું.'

આપણા દેશને ગુલામીમાંથી આઝાદ કરવા સમગ્ર દેશના ખૂણે ખૂણે અનેક વિરલાઓ હતા; જેમાં રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધી બાપુ ઉપરાંત અન્ય વીર પુરૂષો જેમ કે, શહીદ વીર ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, રાણી લક્ષ્મીબાઈ, ચંદ્રશેખર આઝાદ, મંગલ પાંડે વિગેરે જેવા અનેક વીરોએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં રાષ્ટ્રભકિતની અનન્ય મિશાલ સ્થાપી હતી. દેશને આઝાદી અપાવવા સ્વાતંત્ર્ય સૈનિકો ગોળીથી વિંધાતા ત્યારે પણ વંદેમાતરમ્.....ઇન્કલાબ ઝીંદાબાદના નારા લગાવતા હતાં. આ અવસરે તેઓને કેમ ભૂલી શકાય દેશને આઝાદી અપાવનાર તમામ વીર સપૂતોને કોટી કોટી વંદન કરૂ છું.

આઝાદીના અવસરે મને એ કહેતા આંનદ થાય છે કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અભૂતપૂર્વ પરિવર્તન લાવવાની દિશામાં જે કાર્યો હાથ ધર્યા હતાં. તેને ગુજરતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આગળ ધપાવી અન્ય કેટલાય વિકાસલક્ષી પ્રોજેકટ હાથ ધર્યા છે.

જેમ કે, હું આજે મહિલા મેયર તરીકે ગૌરવ અનુભવું છું કે, ૬ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ '૧૮૧ મહિલા હેલ્પલાઈન'ની સેવાને અદ્યતન અને મજબુત બનાવવા '૧૮૧ અભયમ મોબાઈલ એપ્લીકેશન' લોન્ચ કરી રાજયની બહેનોને રાષ્ટ્રીય પર્વ અને રક્ષાબંધનની ભેટ રૂપે જબરદસ્ત રક્ષાકવચ પુરૂ પડેલ છે. તે બદલ રાજકોટની બહેનોવતીમુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું. ગુજરાતથી શરૂ થયેલ વિકાસની અવિરત ગતિ આજે રાષ્ટ્રીય મંત્ર બની ગયેલ છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ છેવાડાના માનવી સુધી સુવિધા મળે તે દિશામાં કામગીરી રહી છે. પ્રાથમિક સુવિધાની સાથે અનેક વિકાસના પ્રોજેકટો પણ હાથ ધરેલ છે. શહેરની એક આગવી ઓળખ ઉભી થાય તે માટે પૂ. મહાત્મા ગાંધી વિદ્યાલય ખાતે અદ્યતન મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્ર, ડો.બાબાસાહેબ આંબેડકર ભવન નિર્માણ પામી રહેલ છે.

વિશેષમાં ખાસ કરીને નવા ભળેલ વિસ્તાર કોઠારીયા, વાવડીને તબક્કાવાર સુવિધા પ્રાપ્ત થાય તે માટે જુદા જુદા કામો માટે કરોડો રૂપિયા કામો મંજુર કરેલ છે. તાજેતરમાં જ કોઠારીયા વિસ્તાર માટે જુદી જુદી ચાર જગ્યાએ રૂ.૧૨ કરોડથી વધુ ખર્ચ નવા ઈ.એસ.આર. જી.એસ.આર. પમ્પીંગ સ્ટેશનનું ખાતમુહુર્ત પણ એક માસ પહેલા કરવામાં આવ્યું.શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે રૈયા / મવડી ચોકડી ખાતે ઓવરબ્રિજની પણ કામગીરી ચાલુ છે. આ ઉપરાંત રાજકોટથી કાલાવડ આવન જાવન કરતા વાહનોની ટ્રાફિક સમસ્યા હલ કરવા કે.કે.વી. ચોક ખાતે અન્ડરબ્રીજ બનાવવાની કાર્યવાહી ચાલી રહેલ છે. અને હોસ્પિટલ ચોકમાં બ્રિજ બનવવામાં આવશે.

ઉપરાંત શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો કે જેમની પાસે ઘર નથી તેવા ઘર વિહોણા લોકોને પોતાના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માટે પ્રધાનમંત્રી તેમજ મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ આવાસો બનાવવામાં આવી રહેલ છે મહાનગરપાલિકાએ અત્યાર સુધી ૨૧ હજારથી વધુ  આવાસો  બનાવી લાભાર્થીઓને સોંપવામાં આવેલ છે. અને હજુ છ હજાર જેટલા આવસો બની રહેલ છે.

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે આ વિસ્તારની શાળાઓના બાળકો દ્વારા દેશભકિતના ગીત 'કંધો સે કંધે મિલાકર', 'સુનો ગૌર સે દુનિયા વાલો', આરંભ હે પ્રચંડ હે, ફયુઝન  પર વિવિધ નૃત્ય કૃતિ રજુ કરી, ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરેલ. દેશભકિતની કૃતિ રજુ કરનાર તમામ શાળાઓના કૃતિ રજુ કરનાર બાળકોને મેયરશ્રી તરફથી શુભેચ્છા ભેટ આપવામાં આવેલ તેમજ સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન તરફથી રોકડ પુરસ્કાર એનાયત કરેલ.

આ અવસરે મહાનુભાવોના હસ્તે રંગબેરંગી ફુગ્ગાઓ ગગનમાં છોડવામાં આવેલ હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને ગુલાબનું ફૂલ શુભેચ્છા રૂપે ભેટ આપવામાં આવેલ. તેમજ સ્કુલના સૌ બાળકોને બિસ્કીટ અને ચોકલેટનું વિતરણ કરવામાં આવેલ.

આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, પૂર્વ ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, કશ્યપભાઈ શુકલ, શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, એસ્ટેટ સમિતિ ચેરમેન પ્રીતીબેન પનારા, સેનીટેશન સમિતિ ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન બાબુભાઈ આહીર, માધ્યમિક શિક્ષણ સમિતિ ચેરમેન અંજનાબેન મોરજરીયા, શિશુ કલ્યાણ સમિતિ ચેરમેન રૂપાબેન શીલુ, કાયદો અને નિયમોની સમિતિ ચેરમેન શિલ્પાબેન જાવિયા, હાઉસીંગ સમિતિ ચેરમેન જયાબેન ડાંગર, બાગ બગીચા સમિતિ ચેરમેન વિજયાબેન વાછાણી, પ્લાનિંગ સમિતિ ચેરમેન અનિતાબેન ગોસ્વામી, કોર્પોરેટરશ્રી દુર્ગાબા જાડેજા, હિરલબેન મહેતા, દેવુબેન જાદવ, મીનાબેન પારેખ, વર્ષાબેન રાણપરા, પૂર્વ કોર્પોરેટર અનિલભાઈ લીંબડ, જે. ડી. ડાંગર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્ય મુકેશ મહેતા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ, શહેર ભાજપ મંત્રી વિક્રમભાઈ પુજારા, ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, વોર્ડ પ્રભારી સુરેન્દ્રસિંહ વાળા, વોર્ડ પ્રમુખ જીતુભાઈ સેલારા, મહામંત્રી રમેશભાઈ પંડ્યા, કિરીટભાઈ ગોહેલ, ડે. મ્યુનિસિપલ કમિશનર ચેતન ગણાત્રા, સી. કે. નંદાણી, મ્યુનિસિપલ સેક્રેટરી એચ. પી. રૂપારેલીઆ, ચીફ ઓડીટર કે. એલ. ઠાકોર, ચીફ વિજીલન્સ ઓફિસર આર. બી. ઝાલા, ડે. સેક્રેટરી કે. એચ. હિંડોચા, ડે. સેક્રેટરી સી. એન. રાણપરા, ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયા, સિટી એન્જીનીયર ચિરાગ પંડયા, એડી. સિટી એન્જીનીયર એમ. આર. કામલીયા, ગાર્ડન ડાયરેકટર ડો. હાપલીયા, આસી. કમિશનર હર્ષદ પટેલ, આર. એન. ચુડાસમા, એચ. કે. કગથરા, એસ. જે. ધડુક, જસ્મીન રાઠોડ, ચીફ ફાયર ઓફિસર બી. જે. ઠેબા, હેલ્ધ ઓફિસર ડો. ચુનારા, ડો. વિસાણી, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, આસી. મેનેજર અમિત ચોલેરા, બી. બી. જાડેજા, લખતરીયા, ભૂમિ પરમાર, ઘોણીયા, કાથરોટીયા, વિવેક મહેતા, ઉનાવા તેમજ સ્કુલના વિદ્યાર્થીઓ, સ્થાનિક રહેવાસીઓ, વિગેરે સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(4:40 pm IST)