Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

હડિયાણા પટેલ સમાજ દ્વારા સ્નેહમિલન-સત્કાર સમારોહ યોજાયો

રાજકોટઃ હડિયાણા સમાજના રાજકોટમાં રહેતા ૮પ પરિવારોનું સ્નેહ મિલન અને તેજસ્વી તારલાઓના સન્માનનો કાર્યક્રમ સ્વામિનારાયણ ગુરૂકુલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સમાજના પ્રમુખ પી.એમ.કાનાણી, રાજકોટ મહાનગર પાલિકાના આસી.કમિશ્નર એચ.કે.કગથરા, જાણીતા બિલ્ડર રમેશભાઇ કગથરા અને હેમંતભાઇ કાલાવડીયા દ્વારાદેલવાડીયા હસ્તી(એસ.એસ.સી.માં ૯ર.૬૦%, કાનાણી વિધિ (એસ.એસ.સી.માં ૯૧.૬૦%) કાનાણી દર્પણ (એસ.એસ.સી.માં ૯૧.૦૦%) નંદાસણા રીત (એસ.એસ.સી.માં ૮૩.પ૦%) ને શિલ્ડ અર્પણ કરી સન્માનીત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન નટુભાઇ કાનાણી અને તુષારભાઇ કાનાણીએ કર્યું હતું.

(3:40 pm IST)