Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

સિલ્વર સ્ટોન સોસાયટીમાં શ્રી અંબાજી માતાજી મંદિરે ગુરૂપૂર્ણિમા પર્વની ઉજવણીઃ શાસ્ત્રી બિપીનદાદા પંડયાના આશિર્વાદ લેતા ભાવિકો-ભાજપ અગ્રણીઓ

આજે ગુરૂપૂર્ણિમા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. જુદા જુદા ધાર્મિક સ્થળોએ વહેલી સવારથી ભાવિકો ઉમટી પડયા હતા અને ગુરૂજી પાસેથી આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા ત્યારે શહેરની સિલ્વર સ્ટોન સોસાયટીમાં આવેલ શ્રી અંબાજી માતાજીના મંદિરે માતાજીના દર્શને તથા શાસ્ત્રી બિપીનદાદા પંડયાના આશિર્વાદ લેવા માટે પણ ભાવિકો ઉમટયા હતા. આ તકે ભાજપના પ્રમુખ વી.એમ. પટેલ, મહામંત્રી કાથડભાઈ, પ્રભારી નીતિનભાઈ ભૂત, શુભેન્દુભાઈ ગઢવી, દિલસુખભાઈ, મંત્રી મહેશભાઈ રાઠોડ, ધર્મેન્દ્રભાઈ, ઉપપ્રમુખ જયેન્દ્રસિંહ, અનિલભાઈ ગોગીયા, સમીરભાઈ ખીરા સહિતના ભાજપના આગેવાનોએ તથા ગીતાંજલિ ગ્રુપ ઓફ કોલેજના હોદેદારો તથા સ્ટાફે પણ માતાજીના દર્શન તથા શાસ્ત્રી બિપીનદાદા પંડયાના આશિર્વાદ લીધા હતા. શ્રી અંબાજી મંદિરે શાસ્ત્રી બિપીનદાદા પંડયાના સુપુત્ર દર્શનભાઈ પંડયા, હરીશભાઈ પંડયા, મિલનભાઈ જાદવ સહિતનાએ ભાવિકોને આવકાર્યા હતા જે તસ્વીરમાં નજરે પડે છે.

(3:35 pm IST)