Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

પોરબંદરમાં જગદીશભાઇ ખીલસીયાએ ચોપાટીએ ઝેર પી જિંદગી ટૂંકાવી લીધી

રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ ચાર પુત્રીએ પિતાનું છત્ર ગુમાવ્યું

રાજકોટ તા. ૧૬: પોરબંદરમાં કુંભારવાડામાં રહેતાં જગદીશભાઇ ભીખભાાઇ ખીલસીયા (ઉ.૫૫) નામના લોહાણા પ્રોૈઢે ગઇકાલે સવારે સાડા દસેક વાગ્યે ચોપાટીએ જઇ ઝેર પી લેતાં પોરબંદર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ રાત્રીના દમ તોડી દેતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

 

હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. મહેન્દ્રભાઇ પરમાર અને રાજદિપસિંહે જાણ કરતાં પોરબંદર પોલીસ રાજકોટ પહોંચી હતી. આપઘાત કરનાર જગદીશભાઇ બે ભાઇ અને ચાર બહેનમાં નાના હતાં અને સોડાની દૂકાન ચલાવતાં હતાં. ભત્રીજાના કહેવા મુજબ પોતાની દૂકાને દરરોજ સવારે કાકા જગદીશભાઇ ચા પીવા આવતાં હતાં અને પછી જ તેમની દૂકાને જતાં હતાં. ગઇકાલે પણ પોતે કાકાની રાહ જોઇ રહ્યો હતો. ત્યારે કાકાએ ચોપાટીએ જઇ ઝેર પી લીધાની ખબર પડી હતી. તેમણે આવુ પગલુ શા માટે ભર્યુ? તે અંગે પરિવારજનો કંઇ જાણતા ન હોઇ પોલીસે તપાસ યથાતવ રાખી છે. જગદીશભાઇના મોતથી ચાર દિકરીઓએ પિતાની છત્રછાંયા ગુમાવતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો છે. (૧૪.૫)

(11:53 am IST)