Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

ગુરુ ગિરી ગાદીપતિ ઉદ્‌ઘોષણા સ્‍મૃતિ દિન ઉપલક્ષે

શેઠ ઉપાશ્રયના આંગણે ગાદીપતિ એકઝીબીશન

રાજકોટ તા. ૧૬ : ગોંડલ સંપ્રદાયના પૂ. પ્રાણ પરિવારના સદાનંદી પૂ. સુમતિબાઈ મહાસતીજી આદી ઠાણા શેઠ ઉપાશ્રયમાં બિરાજમાન છે. તા. ર૧ને શનિવારના રોજ ‘‘ગિરી ગુરુ ગાદીપતિ ઉદધોષણા સ્‍મૃતિ દીન'' ઉપલક્ષ ગુજરાતરત્‍ન પૂ.શ્રી સુશાંતમુનિ મ.સા. એવમ પૂ. મહાસતીજી આદી ઠાણાની નિશ્રામાં શેઠ ઉપાશ્રય જૈન સંઘનાં આંગણે એકિઝબીશન નું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં શ્રાવક-શ્રાવિકાઓએ ખ્‍૪ સાઈઝ પેપરમાં ગુરુ ગિરી - સ્‍લોગન, ફોટોસ, કૃતિ કે અન્‍ય સ્‍મૃતિ મોકલવાની રહેશે. આ કૃતિઓ ડ્રોઈંગ, થર્મોકોલ - કેન્‍વાસ - શીરામીક - હાટબોર્ડ, રૂ, ઉન વગેરે વસ્‍તુ નો ઉપયોગ કરી મોકલવાનો રહેશે. વિવિધ કૃતિઓ તા. ૧૮ પહેલા રજુ કરવાની રહેશે.
તેમજ આ વિવિધ કૃતિઓના એકિઝબીશનમાં નાના મોટા દરેક ભાગ લઈ શકે છે. સમસ્‍ત રાજકોટના મહિલા મંડળના બહેનો દ્વારા સજાવેલી તથા વિવિધતા સાથે રજુ થયેલી કૃતિઓ એકિઝબીશનમાં મુકવામાં આવશે તથા પ્રથમ, દ્વિતીય અને તૃતિય ઈનામ પણ મુકવામાં આવશે. ગાદીપતિ ને કેન્‍દ્ર સ્‍થાને રાખી રજુ થયેલી કૃતિઓ વચ્‍ચે સરપ્રાઈઝ લકકી ડ્રો કરવામાં આવશે.
શેઠ ઉપાશ્રયમાં બિરાજમાન પૂ. મહાસતીજીઓ કૃતિઓ તા. ૧૮ સુધીમાં મોકલવાની રહેશે. કૃતિઓ માટે નામ લખાવાના વોટસએપ નંબર યોગનાબેન મહેતા (મો. ૯૮ર૪ર ૮૧૬૭૧) અને સુલોચનાબેન ગાંધી (મો. ૯૪૦૮૯ ર૪૭૦૪) ઉપર કરવા તથા અન્‍ય વિશેષ માહિતી માટે રત્‍નાબેન કોઠારી (મો. ૯૦૧૬પ ૯૮પ૮૧) ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

 

(2:55 pm IST)