Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

આટકોટ હોસ્પિટલના લોકાર્પણ પત્રિકામાં નરેશભાઈપટેલનું નામ નહીં લખવામાં આવતા યુવકો નારાજ

નરેશભાઈ પટેલે કહ્યું હતું કે આમંત્રણ પત્રિકામાં કોના નામ લખવા તે આયોજકોનો વ્યક્તિગત મત છે

રાજકોટના આટકોટમાં કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના લોકાર્પણ પત્રિકામાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલનું નામ નહીં લખવામાં આવતા યુવકો નારાજ થયા છે ..હોસ્પિટલની લોકાર્પણ પત્રિકામાં ખોડલધામ ટ્રસ્ટના કેટલાક ટ્રસ્ટીઓના નામ લખવામાં આવ્યા છે..પરંતુ ખોડલધામના ટ્રસ્ટી નરેશભાઈ પટેલનું નામ લખવામાં આવ્યું નથી ખોડલધામ ટ્રસ્ટ લેઉવા પટેલ સમાજની માતૃ સંસ્થા છે.નરેશભાઈ પટેલે કહ્યું હતું કે આમંત્રણ પત્રિકામાં કોના નામ લખવા તે આયોજકોનો વ્યક્તિગત મત છે.

(4:36 pm IST)