Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

રેલનગરમાં આર્થિક ભીંસથી કંટાળી જઇ ઉદયભાઇ વડેચાનો ફાંસો ખાઇ આપઘાત

લોકડાઉનમાં મજૂરી કામ સતત બંધ હોવાથી આર્થિક ખેંચ ઉભી થઇ'તી

રાજકોટ તા. ૧૬ :.. લોકડાઉનમાં મજૂરી કામ સતત બંધ હોવાથી આર્થિક ભીંસના કારણે રલનગરમાં શ્‍યામ કુંજ ટાઉનશીપમાં રહેતા સુથાર યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ રેલનગરમાં આવેલા શ્‍યામકુંજ ટાઉનશીપમાં બ્‍લોક નં. ર૦૮ માં રહેતા ઉદયભાઇ અરવિંદભાઇ વડેચા (ઉ.૩૦) એ પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો.

ખાનગી હોસ્‍પિટલમાં નોકરી કરતી પત્‍ની નાઇટ શીપ પુરી કરી ઘરે આવ્‍યા ત્‍યાર પતિને લટકતી હાલતમાં જોતા ૧૦૮ ને જાણ કરતા ૧૦૮ ના તબીબે તપાસ કરતા તેનું મોત નિપજયુ હોવાનું જણાતા પોલીસન જાણ કરવામાં આવી હતી. જાણ થતા પ્ર.નગર પોલીસ મથકના હેડ કોન્‍સ. વાલજીભાઇ નીનામા અને રાઇટર હિતેષભાઇએ સ્‍થળ પર પહોંચી તપાસ આદરી હતી. મૃતક ઉદયભાઇના એક વર્ષ પહેલા લગ્ન થયા હતાં. તે મીષાી કામ કરતા હતાં. લોકડાઉનમાં મજૂરી કામ સતત બંધ હોવાથી આર્થિક ખેંચ ઉભી થતા તેણે આ પગલુ ભર્યાનું ખુલ્‍યું હતું.

(3:27 pm IST)