Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

રાજકોટ ગુરૂકુળની નવાગામ (નવસારી) શાખામાં પાટોત્સવ વિશ્વને કોરોનાથી મુકત કરવા, ભગવાન સ્વામીનારાયણ સમક્ષ પ્રાર્થના, માળા, દંડવત

રાજકોટઃ નવસારીના ગણદેવી રોડ ઉપર આવેલ નવાગામ ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. અત્રેની ધર્મજીવન સંસ્કૃત પાઠશાળામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટના મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના ૩૫ સંત શિષ્યો અભ્યાસ કરી રહ્યા છે. સંતો ને આરાધના કરવા માટે ૨ વર્ષ પહેલાં વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદિ પીઠાધિપતિ ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે શ્રી દ્યનશ્યામ મહારાજ ની પ્રાણ પ્રતિષ્ઠા કરેલ. જેને બે વર્ષ પૂર્ણ થતા આજે ભગવાન શ્રી સ્વામિનારાયણનું સંતોએ મહાપૂજન કરેલ. શ્રી પ્રભુ સ્વામીના જણાવ્યાનુસાર અત્રે અભ્યાસ કરતા સંતોએ વૈદિક વિધિથી ઉપનિષદ આદિ શાસ્ત્રોના મંત્ર ગાન સાથે ભગવાન સ્વામિનારાયણનું પંચામૃત તથા વિવિધ રસ, તથા ફુલ પાંખડીઓથી શ્રી પ્રભુ સ્વામી તેમજ પાઠશાળાના સર્વે સંતો તથા પાર્ષદોએ ભગવાનને અભિષેક કરેલ. વિશ્વને કોરોનાની પીડાથી મુકત કરવા, સંતોએ ભગવાનની આગળ આખો દિવસ કીર્તન ભકિત, શાસ્ત્ર વાંચન, દંડવત, માળા, મંત્ર જપ, પ્રદક્ષિણા વગેરે કરેલ. શ્રી હરિ મુકુંદ સ્વામી તથા શ્રી જગત પાવન દાસજી સ્વામીએ ઠાકોરજીની મહા નિરાજન આરતી કરેલ હતી.

(2:52 pm IST)