Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

કોરોના વેકસીન : રાજકોટ જિલ્લામાં ૫૦થી ઉપરના ૩ લાખ લોકોનો સર્વે પૂરો : ૫૦થી નીચેના ૩૫૦૦ બીમાર નીકળ્યા

રાજકોટ તા. ૧૪ : રાજકોટ જિલ્લામાં હાલ કોરોના વેકસીન અંગે જિલ્લા પંચાયત તથા કલેકટર તંત્ર દ્વારા સર્વે ચાલી રહ્યો છે. બે દિ'ના સર્વેમાં રાજકોટ જિલ્લામાં ૫૦થી મોટી ઉંમરના ૨ લાખ ૯૬ હજાર લોકોનો સર્વે આજ સવાર સુધીમાં પૂર્ણ થયાનું એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું, આજના હવે ઉમેરાશે.

તેમણે જણાવેલ કે, ૫૦થી નીચેના કે જે લોકોને જુદી જુદી બીમારીઓ છે તેવા સર્વેમાં કુલ ૩૫૦૦ જેટલા બીમાર લોકો મળી આવ્યા હતા, દરેકના ઓળખપત્ર કાર્ડ નંબર નોંધાઇ રહ્યા છે.

(2:58 pm IST)