Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મેલેરિયા વિભાગની દોડધામ

૨૯૯ સ્થળોએ મચ્છરોનો ઉપદ્રવ : નોટીસો ફટકારી ૧.૫૨ લાખનો દંડ

હોસ્પિટલ, ભંગારના ડેલા, હોટલો, કારખાના બાંધકામ સાઇટોમાં ચેકીંગ ઝુંબેશ : ૧.૨૪ લાખ ઘરોમાં પોરાનાશક કામગીરી

રાજકોટ તા. ૧૪ : શહેરમાં મચ્છર જન્ય ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગચાળાએ માઝા મૂકી છે ત્યારે મ.ન.પા.ના મેલેરિયા વિભાગ દ્વારા મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા ચેકીંગ ઝુંબેશ હાથ ધરી મચ્છરોનો ઉપદ્રવ હોય તેવા સ્થળોએ નોટીસ દંડ સહિતની કામગીરી જોરશોરથી શરૂ કરી છે જે અંતર્ગત ૨૯૯ સ્થળો મચ્છરો દેખાતા નોટીસો આપી કુલ ૧.૫૨ લાખનો દંડ વસુલ્યો હતો.

આ અંગે મેલેરિયા વિભાગના જણાવ્યા મુજબ મચ્છર પ્રમાણમાં હૂંફાળા અને ભેજ વાળા વાતાવરણમાં ઝડપથી ફેલાવો કરે છે. ચોમાસા ઋતુ દરમ્યાન તથા ચોમાસા ઋતુ બાદ આવું વાતાવરણ લાંબા સમય સુધી રહેતું હોવાથી સિઝનમાં ડેન્ગ્યુ, મેલેરિયા કેસો જોવા મળે છે.

મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્ત્િ। ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ ઘણી વધી જાય છે.

રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે.

આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહકનિયંત્રણની કામગીરી હેઠળ ઓકટોમ્બર માસ દરમ્યાન ભોમેશ્વર વાડી, સંતોષીનગર જુલેલાનગર, પ્રહલાદ પ્લોટ, સમ્રાટ ઇન્ડસ્ટ્રી અલકા સોસા, ગુંદાવાડી, ધર્મ જીવન સોસા,  ઇન્ડસ્ટ્રી અટીકા,   મારુતિનગર શ્રમજીવી સોસા,  પરાસર પાર્ક જામનગર રોડ, કારણપરા, ખોડીયારનગર, કૃષ્ણનગર, શ્રી રામ પાર્ક, ભોમેશ્વર વાડી, આશાપુરાનગર, શ્રી રામ પાર્ક,  બજરંગ વાડી, સોની બજાર,  કેવડાવાડી,  હાથીખાના, ભોમેશ્વર વાડી,  પરસાણાનગર, રૂખડીયા,  જાગનાથ પ્લોટ,  ખોડીયારનગર ઇન્ડસ્ટ્રી,  ધર્મ જીવન  સોસા., લક્ષ્મીવાડી, ગુંદાવાડી,  હર સિદ્ઘિ ધામ,  રૈયાધાર,  રાધાનગર, ગુલાબ વિહાર, ગાંધીનગર,  હરીનગર, વિમલનગર,  વૃંદાવન સોસા , શાસ્ત્રીનગર,  અજમેરા,  જીવરાજનગર,   રૈયાધાર સ્લમ કવા.,  શ્યામનગર, સૂર્યોદય સોસા.,  ગુલાવ વાટિકા,  સદગુરુનગર,   પટેલનગર નાગબાઈ સોસા ઓમનગર  જલજીત સોસા દ્વારકાધીશ સોસા ન્યુ મહાવીરનગર રવિ રાંદલ પાર્ક , રાધાનગર,  ગુલાબ વિહાર,  જનકપૂરી આવાસ વાડી આવાસ  નવીનનગર,  બાલ મુકુન્દ,  રાજદીપ સોસા,  સરદારનગર , ભવાનીનગર  ગાંધીગ્રામ  વિશ્વકર્મા સોસા  સદગુરુનગર   કેરલા પાર્ક,  શા સ્ત્રીનગર  શ્રી નાથ પાર્ક રાજનગર નવા ગામ ન્યુ શકિત સોસા  સિલ્વર નેસ્ટ સોસા , ભારતનગર મફતિયું હુડકો કવા,  શ્યામ સુંદરમ પાર્ક,  લક્ષ્મણ પાર્ક,  ખોડીયાર પાર્ક,  શિવનગર, પાંજરાપોળ,  ગંજીવાડા,  બુદ્ઘનગર , મહાદેવ ઇન્ડસ્ટ્રી એરિયા,  શ્રી નાથ પાર્ક,  રાજનગર , શ્યામ સુન્દરમ પાર્ક, આસોપાલવ પાર્ક ,  ગુરુદેવ પાર્ક  રત્નદીપ સોસા  સદગુરુ સોસા , લાખાજીરાજ સોસા ગંજીવાડા વિવેકાનંદ સોસા , પટેલ પાર્ક,  શ્યામ પાર્ક, લક્ષ્મણ પાર્ક ખોડીયાર પાર્ક , પ્રજાપતિનગર,  શિવનગર, સિલ્વર નેસ્ટ પાંજરાપોળ, ભારતનગર,  શ્રીનાથ પાર્ક,  રાજનગર, રત્નદીપ સોસા, પાંજરાપોળ,  રાધે ક્રિશ્નાનગર,  નવા થોરાળા, રાધે ક્રિશ્નાનગર નવા થોરાળા, ભાવનગર રોડ મેરામબાપા વાડી વિસ્તાર, રેસકોર્ષ પાર્ક ગીત ગુર્જરી સોસા, વર્ધમાનનગર ધર્મેન્દ્ર રોડ, પ્રહલાદ પ્લોટ વિસ્તારોને મચ્છરના પોરાનાશક કામગીરી હેઠળ આવરી લઇ ૧,૨૪,૪૧૫ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૧૦,૨૨૩ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.

મચ્છરની ઘનતા વઘુ હોય તેવા વિસ્તારોને વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ બાલાજી પાર્ક, મહારાણા પ્રતા૫ ટાઉનશી૫, ચંદ્ર શેખર આઝાદ, લાલ બહાદુર ટાઉનશી૫, ન્યુ માયાણીનગર, અલ્કા સોસા., શ્રી ચંદ્રશેખર આઝાદ પ્રાથમિક શાળા નં. ૬૨, રાઘે પાર્ક (માઘા૫ર), સુંદરમ સીટી (માઘા૫ર), ગોલ્ડન પ્રોટીકો વિંગ (માઘા૫ર ચોકડી), રેલનગર - ર, શિવમ પાર્ક, શ્રી સદગુરૂવાટીકા, તક્ષશીલા સોસા. - ર, તક્ષશિલા સોસા-૨, પ્રહલાદ પ્લોટ, ભીલવાસ રોડ, હુસેની ગેઇટ, જન કલ્યાણ સોસા, પુષ્પક પાર્ક, રાધે કૃષ્ણ પાર્ક, ઇસ્કોન આશ્રય, ગૌત્ત્।મ-૨ માધાપર ચોકડીથી જામ નગર રોડ, ઘાંચીવાડ વિસ્તાર, નહેરૂનગર, મારૂતી શ્રમજીવી સોસ., અમૃત રેસીડેન્સી, વાલ્મીકી વાડી, જામગનર રોડ, રેલનગર, શ્રી સદગુરૂવાટીકા એરપોર્ટ રોડ, કરણ૫રા, આશ્રય સોસા., સદગુરૂ વાટીકા એરપોર્ટ રોડ, તો૫ખાના, ગીતાનગર, સદગુરૂવાટીકા, કૈલાસવાડી જંકશન પ્લોટ, ઘ્વારકેશ રેસી., તક્ષશીલા સોસા - ૧, કરણ૫રા, ભકિતનગર પોલીસ લાઇન કવા., ગવર્મેન્ટ પ્રેસ કોલોની, અયોઘ્યા રેસીડેન્સી, સાંઇબાબા સોસા., શ્રી નાથજી પાર્ક, એફરોન એલીગન્સ,, લક્ષ્મીવાડી, વાણીયાવાડી વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.

ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ઘ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય  ૧૦૩૧  પ્રીમાઇસીસ  (બાંધકામ  સાઇટ,  સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે.

જેમાં બાંધકામ સાઇટ ૨૬૪માંથી ૧૦૩ને નોટીસ આપી રૂ. ૭૦,૧૦૦નો દંડ, ઇન્ડસ્ટ્રીઝ ૨૨૮ ચેક કરેલ. જેમાં ૯૨ને નોટીસ આપી રૂ. ૧૬,૪૫૦નો દંડ ફટકારેલ. હોસ્પિટલ ૩૩ ચેક કરાયેલ જેમાં ૧૦માં મચ્છરો દેખાતા નોટીસ અને રૂ. ૨,૫૦૦નો દંડ, ભંગારના ડેલો ૨૭ ચેક કરાયેલ તે પૈકી ૨ને નોટીસ આપી રૂ. ૧૮,૫૦૦નો દંડ તથા હોટલ ૧૮ ચેક કરાયેલ જેમાંથી ૩માં મચ્છરો દેખાતા ત્યાંથી કુલ રૂ. ૩,૭૦૦નો દંડ વસુલાયો હતો તેમજ અન્ય ૮૯ સ્થળે તપાસ કરાતા મચ્છરો દેખાતા રૂ. ૯,૧૫૦ નો દંડ વસુલાયો હતો.(૨૧.૪૦)

ડેન્ગ્યુ - મેલેરિયા - ચિકનગુનિયાને નાથવા ૧૦*૧૦*૧૦નું સૂત્ર અપનાવો

ડેન્ગ્યુ,મેલેરિયા અને ચિકનગુનિયા રોકથામ માટે૧૦*૧૦*૧૦નું સુત્ર અ૫નાવવું. જેમાંપ્રથમ ૧૦ઙ્ગઃ દર રવિવારે સવારે ૧૦ વાગે ૧૦ મિનીટ ફાળવવી.બીજા ૧૦ઙ્ગઃ ઘરમાં તથા ઘરની આસપાસના ૧૦ મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ૫યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા.ત્રીજા ૧૦ :આ માહિતી અન્ય ૧૦ વ્યકિતઓ સુઘી ૫હોંચાડવી. આમ,માત્ર ૧૦ મિનીટ આ૫ને તેમજ આ૫ના ૫રિવારને ડેન્ગ્યુ,મેલેરિયા અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.

(3:37 pm IST)