Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

રણુજા મફતિયાપરામાં પ્રભાબેન ગોહેલને સાસુ અને નણંદનો ત્રાસ

સાસુ રસીલાબેન અને નણંદ ભારતી સામે ગુનો

રાજકોટ તા.૧૫ : કોઠારીયા રોડ રણુજા મંદિર  પાસે મફતિયાપરામાં રહેતી કોળી પરિણીતાના લગ્નના બે માસ  બાદ કરિયાવર બાબતે સાસુ અને નણંદ શારિરીક અને માનસિક ત્રાસ આપતા ફરિયાદ થઇ છે. મળતી વિગત મુજબ રણુજા મંદિર પાસે મફતિયાપરામાં સાસરુ ધરાવતી પ્રભાબેન વિજયભાઇ ગોહેલ (ઉ.વ.૨૪) (કોળી) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં સાસુ રસીલાબેન ગોહેલ અને નણંદ ભારતી ગોહેલના નામ આપ્યા છે. પ્રભાબેન ફરિયાદમાં જણાવ્યુ છે કે પોતાના લગ્ન છ માસ પહેલા જંગલેશ્વર પાસે ગોવિંદનગર મેઇન રોડ પર રહેતો વિજય ગોહેલ સાથે થયા હતા. પતિ વિજય રોલેકસ કારખાનામાં કામ કરેલ છે. લગ્ન ના બે માસ ઘરસંસાર સારી રીતે ચાલ્યો બે માસ બાદ સાસુ રસીલાબેન તથા નણંદ ભારતી બેને મેણાટોણા મારીને કહેતા હતા કે તારા બાપના ઘરેથી તુ કાંઇ કરીયાવર લાવેલ નથી અને દહેજ ઓછો લાવી છો તેમ કહી અવારનવાર મેણાટોણા મારી ત્રાસ આપતા હતા આ વાત પતિ વિજયને કરતા બંને ઘર પાસે અલગ રહેવા જતા રહ્યા હતા. જુદા રહ્યા બાદ પણ સાસુ અને નણંદ ઘરે આવી દહેજ બાબતે મેણા ટોણા મારી ઝઘડો કરતા હતા. અઠવાડીયા પહેલા પોતાના ઘરે મહેમાન આવ્યા હતા ત્યારે પોતે બહાર સોડા લઇ આવી હતી મહેમાન ગયા બાદ પોતે સોડાની ખાલી બોટલ પાનની દુકાને પાછી આપી ઘરે આવતી હતી ત્યારે શેરીમાં બેઠેલા સાસુ અને નણંદે પોતાને ગાળો આપી ઢીકાપાટુનો મારમાર્યો હતો. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ જતા પોતાને છોડાવી હતી  અને ખાનગી દવાખાનામાં સારવાર લીધી હતી. ત્યાર બાદ બીજા દીવસે સાસુ અને નણંદ ઘરે આવી ધમકી આપતા લાગી આવતા પોતે ફીનાઇલ પી લીધુ હતુ થોડીવાર ભાનમાં આવતા સાસુ અને નણંદે કહેલ કે આ બાબતે કોઇ ફરિયાદ કરીશ તો તને સળગાવી નાખીશ તેવી ધમકી આપતા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ  એચ.ડી.સોલંકીએ તપાસ આદરી છે.

(2:33 pm IST)