Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

શનિવારે માયાણી ચોકમાં મહારકતદાન કેમ્‍પઃ રામા મંડળનું પણ ભવ્‍ય આયોજન

સિવિલ હોસ્‍પિટલના દર્દીઓના લાભાર્થે

રાજકોટઃ શેયર એન્‍ડ સ્‍માઈલ (એન.જી.ઓ.) અને જય રામનાથ મહાદેવ યુવા ગ્રુપ- મવડી દ્વારા સિવિલ હોસ્‍પિટલના થેલેસેમીયા પિડીત બાળકો અને જરૂરીયાતમંદ દર્દીઓના લાભાર્થે આગામી તા.૧૮ના શનિવારે સાંજે ૪ થી ૬ બેકબોન શોપીંગ સેન્‍ટર (માયાણી ચોક, ચંદ્રેશનગર મેઈન રોડ) ખાતે મહારકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે. ત્‍યારબાદ રાત્રીના ૮ વાગ્‍યાથી તોરણીયાનું  પ્રખ્‍યાત નકલગ નેજાધારી તોરણીયા રામામંડળ પણ યોજાએલ છે.

આ પ્રસંગે મુખ્‍ય મહેમાન તરીકે મેયર ડો.પ્રદીપ ડવ, ધર્મેન્‍દ્રસિંહ રાણા (પિન્‍ટુભાઈ ખાટડી, પ્રમુખ સહકાર ગ્રુપ), સુખદેવસિંહ ઝાલા (બલદેવ ગ્રુપ), વોર્ડ નં.૧ના કોર્પોરેટર હિરેન ખીમાણીયા અને શાષાી ભકિતપ્રકાશદાસજી (ખીરસરા પ્રમુખ અખિલ ભારતીય સંત સમિતિ) ઉપસ્‍થિત રહેશે.

આયોજનને સફળ બનાવવા કપિલ પંડય, રાજભા જાડેજા, અંકિત ટીંબડીયા, યોગરાજસિંહ જાડેજા, અર્જુનભાઈ કિહોર, ધવલ ટીંબડીયા, ભાર્ગવસિંહ ડાભી, રાજુ ટીંબડીયા અને ડો.હિરેન વિસાણી જહેમત ઉઠાવી રહ્યા છે

(4:40 pm IST)