Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

સ્વામિનારાયણ ગુરૂકુળમાં શરદપૂર્ણીમા ઉત્સવઃ કેલેન્ડરનું વિમોચન

રાજકોટ : ગઇકાલે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્થાન, ઢેબર રોડ ખાતે શરદપૂર્ણીમા ઉત્સવ ધામધુમથી ઉજવવામાં આવ્યો હતો. પૂ. શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, પૂ.શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી અને હજારો હરીભકતો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ મણીયારો રાસ, તલવાર રાસ રજુ કરી હરીભકતોને રાજી કર્યા હતા. ચાર આરતી સંતો અને મહાનુભાવોના હસ્તે ઉતારવામાં આવી હતી. દિવાળી કેલેન્ડરનું વિમોચન આ અવસરે કરવામાં આવેલ. સાથો સાથ રકતદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો.

(3:50 pm IST)