Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

રાજકોટ તાલુકા રાજપૂત (ક્ષત્રીય) સમાજ દ્વારા સન્માન

રાજકોટઃ શ્રી રાજકોટ તાલુકા રાજપૂત (ક્ષત્રીય) સમાજ તથા યુવકમંડળ દ્વારા પાંચમો સરસ્વતી સન્માન સમારંભ- ૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં કાર્યક્રમના અધ્યક્ષશ્રી ગીતાબા જયરાજસિંહ જાડેજા (ધારાસભ્ય- ગોંડલ) કાર્યક્રમના ઉદ્ઘાટક જાડેજા પૃથ્વીરાજસિંહ (ઘોઘુભા) પ્રમુખ શ્રી રાજકોટ તાલુકા રાજપૂત સમાજ તથા અતીથી વિષેશ સુશીલાબા જાડેજા- પ્રમુખશ્રી રાજપૂત સમાજ મહીલા મંડળ ગાંધીનગર, કિશોરીબા રઘુવિરસિંહ જાડેજા, પ્રમુખ શ્રી રાજકોટ તાલુકા પંચાયત, કુંતલબા જાડેજા નારાયણી હોસ્પિટલ, ભકિતબા જાડેજા પ્રમુખશ્રી ક્ષત્રીય કેરીયર એકેડમી ,રાજકુમારી હિતેશ્વરીબા જાડેજા- ગૌરીદડ, એચ.ઓ.ડી. (એમ.બી.એ.ડીર્પા.) મારવાડી કોલેજ, હરદેવસિંહ રાજસમાઢીયાળા- વાઈસ ચેરમેન માર્કેંટીગયાર્ડ રાજકોટ તથા ખોડુભા જાડેજા ઈન્કમ ટેક્ષ -રાજકોટ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન ત્રણ દિકરીબાઓએ કરેલ. મહેમાનોનું સ્વાગત પ્રવચન યુવકમંડળના પ્રમુખ રામદેવસિંહ (નાનામૌવા)એ તથા આભારવિધિ વિજયસિંહ જાડેજાએ કરેલ. આ પ્રસંગે દાતાઓનું સન્માન કરવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ રાજકોટ તા.રાજપૂત યુવકમંડળ રામદેવસિંહ રણજીતસિંહ જાડેજા- નાનામૌવા, મંત્રીશ્રી રાજકોટ તા.રાજપૂત યુવક મંડળ ઓમદેવસિંહ મંગળસિંહ ઝાલા- રતનપર જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:41 pm IST)