Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

યુનિવર્સિટીમાં લાઇફ સપોર્ટીંગ સીસ્ટમની પ્રયોગશાળામાં માનવ જીંદગી બચાવવાની તાલીમ આપતા ડો. મેહુલ મિત્રા-ડો. મિલાપ મશરૂ

રાજકોટ તા.૧૪: ર૧મી સદીમાં ટેકનોલોજી અને ઝડપી લાઇફ સ્ટાઇલમાં આપણે હરહંમેશ દોડતા જ રહીએ છીએ ત્યારે અચાનક સર્જાતી 'હેલ્થ ઇમરજન્સી'માં સામાન્ય નાગરીક તરીકે માનવ જીંદગી બચાવવામાં આપણે કઇ રીતે મદદરૂપ થઇ શકીએ? અચાનક થતી ઇમરજન્સી કે આકસ્મિક સમસ્યાઓમાં મેડિકો સેવાઓ પહોંચતી કરવાની સાથે સૂક્ષ્મ ક્ષણોમાં અપાતી એકસપોર્ટ સારવાર એટલે મેડિકલ ભાષામાં ''લાઇફ સપોર્ટીંગ સીસ્ટમ'' માટે વિશ્વવિદ્યાલયો અને વિદ્યાલયોનાં છાત્રોને તૈયાર કરવામાં આવે તો કદાચ કેટલીક અમુલ્ય માનવ જીંદગીને બચાવ શકાય! નેનો વિજ્ઞાન ભવનમાં અભ્યાસ કરતા છાત્રો મારફત ભવનનાં અધ્યાપકોને આ પ્રકારની પ્રાથમિક તાલીમ અંગે પુછપરછ કરાતાં ભવન મારફત નિષ્ણાંત તજજ્ઞો ડો. મેહુલભાઇ મિત્રા અને ડો. મિલાપભાઇ મશરૂ મારફત સ્ટાફ અને વિદ્યાર્થીઓને ચાર કલાક પ્રેકટીકલસ્ તાલીમ સાથે પ્રાથમિક સમજ આપતી કાર્યશાળાનું વિશિષ્ટ આયોજન સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે નવતર પ્રયોગનાં ભાગરૂપે કરાયેલ હતું.

'લાઇફ સપોર્ટીંગ સીસ્ટમ' વિષયક કાર્યશાળામંા તેનો વિજ્ઞાન ભવનનાં ૧૦૦ થી વધુ છાત્રોને તાલીમના કાર્યક્રમમાં સોેરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિલાંબરીબેન દવે, ભવનનાં અધ્યક્ષ પ્રો. ડી.જી. કુબેરકર, કુલસચિવ ડો. ધીરેનભાઇ પંડયા, જાણીતા બાળરોગ નિષ્ણાંત ડો. મેહુલભાઇ મિત્રા, ક્રિટીકલ કેરનાં તજજ્ઞ ડો. મિલાપભાઇ મશરૂ, પ્રો. નિકેશભાઇ શાહ, ડો. ભરતભાઇ કટારીયા, કાર્યક્રમના સંયોજક ડો. અશ્વિનીબેન જોષી, ડો. આશીષભાઇ રાવલીયા, ડો. તેજસભાઇ ટાંક, ડો. જેઠવા, નર્સીંગ સ્ટાફની ટીમના સદસ્યો વગેરે ઉપસ્થિત રહેલ. કુલપતિ પ્રો. નિલાંબરીબેન દવેએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવેલ કે, એસ.ઓ.એસ (SOS)માં માનવજીંવનને બચાવતી મેડીકલ ટેકનિકની તાલીમ વિશ્વ વિદ્યાલયના છાત્રોને આપવાનાં પ્રકલ્પમાં સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીનું નેનો વિજ્ઞાન ભવનનું આયોજન અભિનંદનીય છે.

જાણીતા બાળ રોગ નિષ્ણાંત અને મોટીવેશન વકતા ડો. મેહુલભાઇ મિત્રાએ 'પાવર પેઝન્ટેશન' મારફત છાત્રોને બાળવયમાંથી ટીન એજર અને ટીન એજરમાંથી યુવાનીમાં પ્રવેશવાની સાથે સાયકોલોજિકલ, શારીરિક, પોઝીટીવ ફેરફારો અંગે રસપ્રદ વાર્તાલાપ યોજી સ્કીલ ડેવલોપમેન્ટ, સ્ટ્રેસલેસ જીવન વગેરે અનેક આયામો અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરેલ હતાં.

કાર્યશાળામાં ડો. મિલાપભાઇ મશરૂ અને તેની ટીમ મારફત છાત્રોને એકસીડન્ટ, આગ, પાણીમાં ડૂબી જવાની ઘટના કે અન્ય સ્ટ્રેસથી હૃદયનો એટેક સમયે 'લાઇફ સપોટીંગ સીસ્ટમ' કેવી રીતે માનવ જીવન બચાવવા મદદરૂપ થઇ શકે ? તે અંગે તાલીમ આપતાં જણાવેલ કે પ્રથમ શ્વાસોશ્વાસ, ચકાસી પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી અને સાથે મેડીકલ સેવાઓ પહોંચતી થાય તે પહેલાની સૂક્ષ્મ બહૂમૂલી ક્ષણોમાં શ્વાસોશ્વાસમાં કેવી રીતે મદદરૂપ થઇ શકાય તેની સાથે બંધ હૃદયને ચાલુ કરવા હાથેથી અને ઇલેકટ્રીક  સોકીંગ સીસ્ટમ એ.ઇ.એસ.નું મહત્વ સમજાવી કેટલાક ઉદાહરણો સાથે દરેક વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોને તાલીમ આપેલ હતી. ડો. મશરૂ જણાવેલ કે ઉપરોકત તાલીમથી અમૂલ્ય માનવ જીવન બચાવી શકાય તે માટેનાં પ્રાથમિક સાધનોની કીટ દરેક જીમ અને જાહેર સ્થળે ઉપલબ્ધ હોય છે. ભવનનાં અધ્યક્ષ પ્રો. ડી. જી. કુબેરકરે સ્વાગત પ્રવચનમાં  જણાવેલ કે ભવન મારફત છાત્રોને શિક્ષણ સાથે સમાજ ઉપયોગી સ્કીલની વિવિધલક્ષી આયામોની તાલીમ આપવામાં આવે છે અને તેમાં યુનિવર્સિટીનાં કુલપતિ અને કુલસચિવનો હરહંમેશ પોઝીટીવ સહયોગ પ્રાપ્ત થઇ રહ્યો છે. કાર્યક્રમનું સફળ સંચાલન કાર્યક્રમનાં સંયોજક ડો. અશ્વિનીબેન જોષીએ અને આભારવિધી એસોસીએટ પ્રોફેસર ડો. ભરતભાઇ કટારીયાએ કરેલ હતી. કાર્યક્રમને સફળ બનાવવા ભવનનાં અવિનાશભાઇ વ્યાસ, કૈલાસભાઇ વાઘેલા, મેહુલભાઇ વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.

(3:20 pm IST)