Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

અબોલ પશુઓની સારસંભાળ કરો તેના જીવ બચાવો : પૂ.નમ્રમુનિ

હબીબભાઈ ગનીબાપુ કટારીયાનું પ્રેરક કાર્ય : ૨૭ મૂંગા પશુઓને રાજકોટ પાંજરાપોળ મોકલ્યા

રાજકોટ : રોયલ પાર્ક ઉપાશ્રયે પધારેલા રાષ્ટ્રસંત પૂ. ગુરૂદેવ નમ્રમુનિ મ. સા.ની ખુરેશ જમાતના પ્રમુખ હબીબભાઈ ગનીબાપુ કટારીયાએ ખાસ મુલાકાત લીધેલ હતી. સમાજ અંગેની મહત્વની ઘણી બધી ચર્ચાઓની આપ-લે કરી હતી. આ પ્રસંગે જૈન અગ્રણી શ્રી યોગેશભાઈ શાહ, શ્રી લલીતભાઈ કોઠારી સાથે રહેલ હતા. ત્યારે સંત પૂ. ગુરૂદેવ નમ્રમુનિએ આર્શીવાદ આપતા કહેલ કે તમો અબોલ મૂંગા પશુઓની સારસંભાળ કરો અને તેના જીવો બચાવો તેવા આર્શીવાદ આપેલ હતા. આ આર્શીવાદના ફળસ્વરૂપે ૨૭ - અબોલ મૂંગા પશુઓના જીવો બચાવી તેને રાજકોટ પાંજરાપોળ ખાતે મોકલેલ હતા. આ કાર્યના સહભાગી લલીતભાઈ પારેખ, પ્રકાશભાઈ મોદી, યોગેશભાઈ શાહ તથા હબીબભાઈ ગનીબાપુ કટારીયા આ ભગીરથકાર્યના અભયદાનના નિમિત બનેલ.

આ કાર્ય કરવા બદલ હબીબભાઈ ગનીબાપુ કટારીયા (મો.૯૮૨૪૪ ૧૬૦૬૯)ને જૈન સમાજના અગ્રણીઓ એડવોકેટ કમલેશભાઈ શાહ, જીજ્ઞેશભાઈ શાહ, સુશીલભાઈ ગોડા, મિલનભાઈ કોઠારી, સી.પી. દલાલ, મયુરભાઈ શાહ, જીતુભાઈ કોઠારી, યોગેશભાઈ શાહ, ઉપેનભાઈ મોદી, સંજયભાઈ મહેતા, મુકેશભાઈ બાટવીયા, મિતુલભાઈ ખેતાણી, પરેશભાઈ સંગાણી, મનોજભાઈ ડેલીવાળા, પ્રતિકભાઈ સંગાણી વગેરે જીવદયા પ્રેમીઓએ અભિનંદન આપેલ હતા.(૩૭.૧૧)

(3:58 pm IST)