Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

મિલીટ્રી સેમીનાર

રાજકોટ : વિદ્યાર્થીઓમાં શિસ્તનો ચુસ્ત રીતે પાલન થાય તે માટે વિદ્યાનિકેતન શાળામાં મિલીટ્રી સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. વકતાઓ, બ્રિગેડીયર શ્રી અજીતસિંહ અને કર્નલ શ્રી વ્યાસ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને શિસ્ત જાળવણી, નૈતિક મૂલ્યોનું ઘડતર અને જીવનમાં કેવી રીતે પ્રગતિ કરી શકાય તેવા વિષયો પર માર્ગદર્શન આપ્યુ હતું. કાર્યક્રમનું સંચાલન શ્રીમતી જેન્સી ડેનીયલ અને સંસ્થાના ટ્રસ્ટી વિમલ કપૂર દ્વારા કરવામાં આવેલ.(૩૭.૯)

(2:48 pm IST)