Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

ડેલાવાળા પરિવાર દ્વારા સુક્ષ્મ મનોરથ : શ્રીનાથજી સત્સંગ : અષ્ટસમાની ઝાંખીના દર્શન

રાજકોટ : અધિક પુરૂષોતમ માસને અનુલક્ષીને કસ્તુરચંદ ખેતસીભાઇ ડેલાવાળા પરિવાર દ્વારા સુક્ષ્મ મનોરથનું આયોજન કરાયુ હતુ. આસિફ જેરિયા અને પંકજ શેઠ પ્રસ્તુત શ્રીનાથજી સત્સંગ અને શ્રીનાથજી અષ્ટસમાની ઝાંખીના દર્શનનું પણ આયોજન કરાયુ હતુ. લક્ષ્મીવાડી કામવન હવેલીના પૂ.પા.ગોસ્વામી ૧૦૮ શ્રી વૃજેશકુમાર મહોદય મહારાજશ્રીએ આશીર્વચન આપ્યા હતા. ડાયાભાઇ ડેલાવાળા, કનૈયાલાલ ડેલાવાળા, પ્રવિણચંદ્ર ડેલાવાળા, જયસુખલાલ ડેલાવાળા, ગુણવંતરાય ડેલાવાળા, વિનોદરાય ડેલાવાળા પરિવારના સંયુકત ઉપક્રમે આયોજીત આ કાર્યક્રમનું સંચાલન ભુપેન્દ્રભાઇ છાટબારે કર્યુ હતુ. સમગ્ર મનોરથના પ્રસાદ બનાવવાની વ્યવસ્થા જશુબાઇ મંડાણના ટ્રસ્ટી હસમુખભાઇ ડેલાવાળાએ કરી હતી. આ પ્રસંગે સંસદસભ્ય મોહનભાઇ કુંડારીયા, પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેલહોત, મ્યુ. કમિશ્નર બંછાનીધી પાની, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, નાગરીક બેન્કના ચેરમેન નલીનભાઇ વસા, નરેન્દ્રસિંહ ઠાકુર, જીતુભાઇ કોઠારી, દેવાંગભાઇ માંકડ, જીવણભાઇ પટેલ, પ્રવિણભાઇ જસાણી, કમલેશભાઇ શર્મા, નરેન્દ્રભાઇ દવે, મધુભાઇ પટોલીયા, જગદીશભાઇ ડોબરીયા, ખોડીદાસભાઇ પટેલ, મૌલેશભાઇ ઉકાણી, મહેન્દ્ર ફળદુ, રાકેશભાઇ દેસાઇ, જીતુભાઇ ચંદારાણા, ડી. વી. મહેતા, સ્મિતભાઇ પટેલ, જયંતિભાઇ ચોટાઇ, જયેશભાઇ ઉપાધ્યાય, રાકેશભાઇ પોપટ, શૈલેષભાઇ પાબારી, મીતેનભાઇ મહેતા, વેજાભાઇ રાવલીયા, દિનેશભાઇ ગોળવાળા, રમેશભાઇ જીવાણી, ડો. વલ્લભભાઇ કથીરીયા, જયસુખભાઇ ઘોડાસરા, નાથાભાઇ કાલરીયા, રમેશભાઇ ઘેટીયા, રમેશભાઇ ઠાકુર, પ્રભુદાસભાઇ તન્ના, દીલીપભાઇ સોમૈયા, પરસોતમભાઇ કમાણી, છગનભાઇ ગઢીયા, મુકેશભાઇ શેઠ, ડો. દર્શિતાબેન શાહ, નરેશભાઇ લોટીયા, અશોકભાઇ ઝીંઝુવાડીયા, રાજનભાઇ વડાલીયા, એમ. જે. સોલંકી, વિજયભાઇ દાવડા, અરવિંદાઇ પાટડીયા, દિનેશભાઇ પારેખ, પ્રતાપભાઇ કોટક, ઘનશ્યામભાઇ મારડીયા, શિવલાલભાઇ રામાણી, અનંતભાઇ ઉનડકટ, શિલ્પાબેન પુજારા, નીલુબેન મહેતા, રેશ્માબેન સોલંકી, ભાવનાબેન માવાણી, બીનાબેન આચાર્ય વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વ્યવસ્થા ડેલાવાળા પરિવારના સભ્યો અને સરગમ કલબના કમીટી મેમ્બરોએ સંભાળી હતી. (૧૬.૪)

(4:31 pm IST)