Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

હલેન્ડા ગામે કુવો ગાળવા બાબતે થયેલ હુમલા કેસમાં આરોપીનો છુટકારો

રાજકોટ તા.૧૪ : હલેન્ડા ગામે કુવા ગાળવાની તકરાર સંબંધે થયેલ હુમલાના કેસમાં પકડાવી આરોપઓ સામેનો કેસ ચાલી જતા અદાલતે નિર્દોષ છોડી મુકેલ છે.

આ અંગેની વિગત એવી છે કે, હલેન્ડાના ડુંગરપુરની સીમમાં ભીમજી ચનાભાઇએ પોતાની બાજુની વાડીમાં કુવો ખોદતા મનસુખ કોળી અને તેની સાથે ધનજી ભીમજી અને ખોડા ભીમજી સાથે જમીનની તકરાર થયેલ જેમાં ભીમજીભાઇને માથામાં કુહાડી મારેલ અને લાકડી વિગેરેથી માર મારેલ આ બાબતે ફરિયાદીના પત્નિ ફુલીબેન હાજર હતા. તેઓએ રાડારાડ કરેલ. ફરિયાદ એમ.એસ.બાકીની કોર્ટમાં ચાલી જતા આરોપી પક્ષે નયનાબેન ડી. ચૌહાણએ ઉલટ તપાસમાં મહત્વના કોન્ટ્રાડીકશન છે તેમજ જે એફઆઇઆર છે તેમાં છેકછાક છે. તેમાં છેકછાકનો ખુલાસો થયેલ નથી તેમજ જુબાનીમાં અને એફઆઇઆરમાં બંનેમાં અલગ સ્ટોરી આવે છે. આ કામમાં ઇજા પામનાર અને તેના વતી હોરસ્ટાઇલ કર્યા વગર બંને સ્ટોરી પર આધાર રાખે છે. તેમજ મેડીકલ એવીડન્સથી ઇજાને સમર્થન મળેલ નથી. જેથી રાજકોટના ન્યાયમુર્તિ એમ.એસ.બાકીની અદાલતે એડવોકેટની રજુઆતને લક્ષમાં લઇને આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કરેલ છે.

કેસ ચાલી જતા આરોપી સામે આઇપીસી કલમ-૩ર૪ વિગેરેનો કેસ નાસાબીત માની આરોપીને નિર્દોષ ઠરાવી મુકેલ બચાવપક્ષે ધારાશાસ્ત્રી નયનાબેન ડી. ચૌહાણ રોકાયા હતા.

(4:11 pm IST)