Gujarati News

Gujarati News

News of Monday, 13th December 2021

યુવા ભાજપ મોરચામાં પાંચ રઘુવંશી અગ્રણીઓને સ્થાનઃ અભિનંદનવર્ષા

મંત્રીપદે કેયુર અનડકટ, વોર્ડ નં.૧૦ મહામંત્રી જયભારત ધામેચા,કારોબારીમાં કેવલ કાનાબાર અને જય બુધ્ધદેવની વરણી

રાજકોટઃ ભાજપ યુવા મોરચામાં રઘુવંશી યુવા અગ્રણીઓને વિવિધ જવાબદારીઓ મળતા રઘુવંશી સમાજની વિવિધ સંસ્થાઓ અને અગ્રણીઓ દ્વારા આવકાર મળી રહ્યો છે.

તાજેતરમાં ભાજપ યુવા મોરચામાં સંગઠનમાં પાંચ યુવા રઘુવંશીઓને ભાજપ દ્વારા જવાબદારીઓ આપવામાં આવી હતી.જેમા રાજકોટ શહેર યુવા ભાજપ મંત્રી તરીકે યુવા રઘુવંશી અગ્રણી કેયુર અનડકટ, તેવી જ રીતે યુવા રઘુવંશી અગ્રણી નીરવ રાયચુરા  તે રાજકોટ શહેર યુથ ડેવલોપમેન્ટ કન્વીનર તેમજ વોર્ડ નં.૧૦ના મહામંત્રી તેજતર્રાર યુવા ધારાશાસ્ત્રી અને યુવા રઘુવંશી અગ્રણી જયભારત ધામેચાની  વરણી થયેલ.

જયારે યુવા ધારાશાસ્ત્રી જય બુધ્ધદેવ અને કેવલ કાનાબારને રાજકોટ યુવા ભાજપ કારોબારીમાં વરણી કરવામાં આવી છે.

આ તમામ યુવા રઘુવંશી અગ્રણીઓને વિવિધ સામાજીક સંસ્થાઓ જેવી કે રઘુવંશી યુવા શકિત સંઘ, શ્રી જલ્યાણ મીત્ર મંડળ અખીલ સૌરાષ્ટ્ર રઘુવીરસેના, ગાંધીગ્રામ રઘુવંશી સેવા સમાજ તેમજ સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા શુભેચ્છાવર્ષા થઈ રહી છે.

તસ્વીરમાં 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાના શુભાશીષ લેતા યુવા અગ્રણીઓ સર્વશ્રી કેયુર અનડકટ, જયભારત ધામેચા, નિરવ રાયચુરા અને જય બુધ્ધદેવ નજરે પડે છે.

(2:45 pm IST)