Gujarati News

Gujarati News

News of Monday, 13th December 2021

ખાદ્યતેલોમાં મંદીઃ સીંગતેલ અને કપાસીયા તેલોમાં ૧૦ રૂ. ઘટયા

ચાલુ સપ્તાહમાં સીંગતેલમાં ૩૦ તથા કપાસીયા તેલમાં ૪૦ રૂ. નીકળી ગયા

રાજકોટ, તા. ૧૧ :. ખાદ્યતેલોમાં મંદીનોે દોર યથાવત રહ્યો છે. આજે સીંગતેલ અને કપાસીયા તેલમાં વધુ ૧૦ રૂ.નો ઘટાડો થયો છે.

સ્થાનિક બજારમાં સીંગતેલની નવી સીઝનની શરૂઆત સામે ખાનાર વર્ગની ઘરાકી ન નીકળતા ખાદ્યતેલોના ભાવ ઘટી રહ્યા છે. સીંગતેલમાં ૧૦ રૂ.નો ઘટાડો થતા સીંગતેલ લુઝ ૧૦ કિ.ગ્રા.ના ભાવ ઘટીને ૧૨૫૦ તથા નવા ટીનના ભાવ ઘટીને ૨૨૧૦થી ૨૨૪૦ રૂ. થયા હતા. કપાસીયા તેલ લુઝના ભાવ ઘટીને ૧૧૫૦ તથા કપાસીયા ટીનના ભાવ ઘટીને ૨૦૨૦થી ૨૦૬૦ રૂ. થયા હતા.  મંદીના કારણે ચાલુ સપ્તાહમાં સીંગતેલ ડબ્બે ૩૦ રૂ. અને કપાસીયા ટીનમાં ૪૦ રૂ.નો નોંધપાત્ર ભાવ ઘટાડો થયો છે.

(3:19 pm IST)