Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ

 ભગવાનભાઇ સાંગાભાઇ જોગરાણા તથા અમરબેન ભગવાનભાઇ જોગરાણા, હસ્તે જોગરાણા પરિવાર દ્વારા શ્રી રણછોડદાસજીબાપુ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે રાજકોટ શહેર તથા જિલ્લાને આંખના મોતિયા વિહીન બનાવવાના અશ્વમેઘ સંકલપ પૈકી પાંચમો સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો. જેમાં ૩૦૮ દર્દી ભગવાને ગુરૂદ્રષ્ટિ મેળવી હતી. નેત્રયજ્ઞમાં દર્દી ભગવાનને રહેવા, જમવા, ચા-પાણી નાસ્તો, શુધ્ધ ઘીનો શીરો, દવા, ટીપા, ચશ્મા, નેત્રમણી સાથે ઓપરેશન વિનામુલ્યે કરી અપાયુ હતુ. તસ્વીરમાં નેત્રયજ્ઞનું અનુદાન આપનાર પરિવારજનો નજરે પડે છે.

(4:01 pm IST)