Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

વિમલનાથ જિનાલયની સાતમી સાલગીરીની ભવ્ય ઉજવણી : રાત્રે આંગી-સમૂહ આરતી-પ્રભાવના

રાજકોટ, તા.પઃ પૂ.આ.ભ.વિજય જયશેખરસૂરિ મા.સ. પ્રેરિત શ્રી વિમલનાથ જિનાલયની આજે સાતમી સાલગીરી પ્રસંગે પ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય યશોવિજયસૂરિ મા.સા.ના શીસ્ય રત્નની પાવન નિશ્રામાં સવારે ૭ વાગે સત્ત્।રભેદી પૂજા મુનિ સુવ્રત મહિલા મંડળ દ્વારા ભણાવાયેલ

ત્યારબાદ બેન્ડ વાજા,બગી સાથે પૂ.ગુરુભગવંતો અને શ્રાવકો સહીત ચતુર્વિધ સંદ્ય સાથે ભવ્ય વરદ્યોડો નીકળેલ .

મુખ્ય ધજાનો લાભ કોકિલાબેન બકુલભાઈ દોશી,લક્ષ્મી માતાની ધજા નીતાબેન અસ્વીનભાઈ શાહ,શ્રી દ્યંટાકર્ણવીરની ધજાનો લાભ હસમુખભાઈ અમૃતલાલ શાહ અને નવનીતભાઈ હસમુખભાઈ શાહ (યુ એસએ ) ને જિનાલયમાં ધજા ચઢવાનું સંદ્ય તરફથી આમંત્રણ પાઠવાયેલ.પૂ.ગુરુભગવંતો અને પ્રકાશભાઈ દોશી દ્વારા વિધિવિધાન કરાવાયેલ.  પ. પૂ. આ. ભ. શ્રીમદ વિજય જયશેખરસૂરિ મા.સ.દ્વારા ખાસ મુંબઈથી મંગાવાયેલ અતિમંત્રીત વાસક્ષેપ ધજા પર ચઢાવાયેલ.અષ્ટ પ્રકારી પૂજા બાદ દરેક લાભ લેનાર પરિવારો દ્વારા ધજા ચઢાવવામાં આવેલ.પૂ.ગુરુભગવનતોએ મોટી શાંતિનું શ્રવણ કરાવેલ,૩૪૭ ભાવિકોએ કોકિલાબેન બકુલભાઈ દોશી પરિવાર તરફથી આપવામાં આવેલ પ્રભાવનાનો લાભ લીધો હતો.

આજે રાતે ૮.૩૦ કલાકે પાંચેય પરમાત્માની ભવ્ય આંગી રચાશે તેમજ સમૂહ આરતી કરાશે તથા પ્રભાવના વિમળાબેન દિલીપભાઈ મહેતા હ.હિતેનભાઈ-સ્નેહાબેન તરફથી આપવામાં આવશે.

(3:34 pm IST)