Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

કાલે સિન્ડીકેટ : જાતીય સતામણી પ્રકરણમાં હેરેસમેન્ટ સેલની ભલામણથી આકરા પગલા ભરાશે : કુલપતિ

રાજકોટ, તા.૧૩ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયો સાયન્સ ભવનના પ્રોફેસર પંચાલ સામે એક પીએચડીની છાત્રાની જાતીય સતામણી પ્રકરણનો શીલબંધ અહેવાલ આવતીકાલે સિન્ડીકેટમાં ખુલવાનો છે ત્યારે આ અંગે કડક પગલા ભરાઈ રહ્યાનું જાણવા મળે છે.

કુલપતિ ડો.નિલામ્બરી દવેએ જણાવ્યું હતું કે, આ જાતીય સતામણી પ્રકરણમાં કાયદાને આધીન તેમજ હેરેસમેન્ટ સેલના સભ્યોની મૌખિક રજૂઆત બાદ પ્રોફેસરને સસ્પેન્ડ કરવાની ભલામણ કરવામાં આવશે.

(3:43 pm IST)